AIBE 21 વિસ્તૃત સમજૂતી સાથે ગુજરાતી માં પેપર સોલ્યુસન
AIBE 21 Question Paper Solution with detailed explanation 2026 – Booklet Code B
AIBE 21 Question Paper Solution – Booklet Code B
AIBE 21 QUESTION PAPER – 7 June 2026: અમે અહીં જે પ્રકાશિત કરી રહ્યા છીએ તે પ્રકાશિત કરવા બદલ અમદાવાદ, ગુજરાતના કાનૂની સલાહકાર નિષ્ણાત શ્રી રાજન સાહેબના આભારી છીએ. બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (BCI) દ્વારા 7 June, 2026 ના રોજ દેશભરના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર ઓલ ઈન્ડિયા બાર પરીક્ષા (AIBE 21) 2026 સફળતાપૂર્વક યોજાઈ હતી. પરીક્ષા પૂરી થતાંની સાથે જ, બધા ઉમેદવારો વિચારતા હશે કે તેઓ પાસ થઈ શકશે કે નહીં, તેથી અહીં અમે AIBE 21 (AIBE XXI) પ્રશ્નપત્ર ઉકેલ 2026 નું પેપર સોલ્યુશન પ્રદાન કરી રહ્યા છીએ. AIBE 21 પ્રશ્નપત્ર 2026 ઉકેલો સાથે : AIBE 20 Question Paper 2026 with Answer Key and Detailed Solutions
BOOKLET CODE B
- Question 1 : A 6 મહિનાની અંદર ₹ 50 લાખમાં કોલ્ડ સ્ટોરેજ સુવિધાનું બાંધકામ કરવા માટે B સાથે કરાર કરે છે. સમય અવધિ સમાપ્ત| થયા પછી B કરારનું પાલન કરવામાં નિષ્ફળ જાય છે. A બાંધકામ પૂર્ણ કરવા માટે તાત્કાલિકપણે ₹ 60 લાખમાં Cની ભરતી કરે છે અને પછીથી થયેલા વધારાના ખર્ચ તરીકે ₹ 10 લાખનો દાવો કરીને Bની સામે મુકદમો દાખલ કરે છે.
નીચેનામાંથી કયું નિવેદન વિશિષ્ટ રાહત અધિનિયમ, 1963 હેઠળ સાચું છે?
(A) A માત્ર ત્યારે જ વસૂલાત કરી શકે જ્યારે અદાલત B ને ઉલ્લંઘન માટે દોષિત ઘોષિત કરે.
(B) A એ માત્ર નુકસાન માટે દાવો કરવો જોઇએ અને અવેજી કામગીરી માટે નહીં.
(C) A ₹ 10 લાખ વસૂલી શકે છે, કારણ કે B એ કરારનું ઉલ્લંઘન કર્યું છે.
(D) A ખર્ચ વસૂલી શકે નહીં, કારણ કે Aએ Bને પૂર્વ સૂચના આપી નહોતી.
Answer : (C)
કારણ: Specific Relief Act હેઠળ substituted performance બાદ વધારાનો ખર્ચ વસૂલ કરી શકાય છે.
Question 2: કંપનીઝ અધિનિયમ, 2013ની સેક્શન 233, “ફાસ્ટ ટ્રેક વિલિનીકરણ” સાથે સંબંધિત છે. મંજૂરી માટે સમય અવધિ અને સંબંધિત સત્તાધિકારી શું છે ?
(A) 60-90 દિવસ, પ્રાદેશિક નિર્દેશક
(B) 60-90 દિવસ, NCLT
(C) 1 વર્ષ, પ્રાદેશિક નિર્દેશક
(D) 45-90 દિવસ, NCLAT
Answer : (A)
કારણ: Fast Track Merger માટે Regional Director સત્તાધિકારી છે અને સામાન્ય રીતે 60-90 દિવસની પ્રક્રિયા છે.
Question 3: મેસર્સ XYZ સાથેનો રમેશનો નોકરીનો કરાર રાજીનામા પછી ત્રણ વર્ષમાટે ભારતમાં કોઇ પણ પ્રતિસ્પર્ધી સોફ્ટવેર કંપનીમાં જોડાવાથી તેમને રોકે છે. પરંતુ રાજીનામુંઆપ્યા પછી ત્રણ વર્ષની અંદરતેઓ સ્પર્ષક કંપનીમાં જોડાય છે. XYZ કંપનીએ પ્રતિબંધક ક્લૉઝ લાગુ કરવા માટે મુકદમો દાખલ કર્યો હતો. ભારતીય કરાર અધિનિયમ, 1872 હેઠળ કાનૂની સ્થિતિ શું છે ?
(A) માન્ય –ત્રણ વર્ષ વ્યાજબી અવધિ છે.
(B) માન્ય – રમેશે સ્વૈચ્છિક રીતે સંમત્તિ આપી.
(C) રદબાતલ – રોજગાર સમાપ્ત થયા પછી કાયદેસરના વ્યવસાયને રોકે છે.
(D) માન્ય –રોજગારદાતાના કારોબાર હિતને સુરક્ષિત કરે છે.
Answer : (C)
કારણ: રોજગાર સમાપ્ત થયા પછી વ્યવસાય પર પ્રતિબંધ મૂકતો કરાર Section 27 Contract Act હેઠળ અમાન્ય છે.
Question 4: ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS), 2023ની સેક્શન 105 હેઠળ, પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી શોધ અને જપ્તીની પ્રક્રિયા માટે હવે કઈ બાબત ફરજિયાત આવશ્યકતા બની છે ? (A) પરિસરમાં રહેનાર વ્યક્તિ પાસેથી સહી કરેલી લેખિત કબૂલાત પ્રાપ્ત કરવી (B) ઓડિયો- વિડિયો ઇલેક્ટ્રોનિક રેકોડિંગ મારફતે શોધ અને જપ્તીનું દસ્તાવેજીકરણ (C) શોધ દરમિયાન જયુડિશિયલ મેજિસ્ટ્રેટની ઉપસ્થિતિ (D) સ્વતંત્ર સાક્ષી તરીકે ઓછામાં ઓછા પાંય સ્થાનિક રહેવાસીઓની ઉપસ્થિતિ
Answer (B)
કારણ: BNSS હેઠળ શોધ અને જપ્તીની પ્રક્રિયાનું audio-video recording ફરજિયાત બનાવવામાં આવ્યું છે.
Question 5: નીચેના નિવેદનો વાંચો અને સાચો વિકલ્પ પસંદ કરો. કોપીરાઇટ અધિનિયમ, 1957 હેઠળ 😐 નિવેદન I: મરણોત્તર સાહિત્ય કાર્યના કિસ્સામાં કોપીરાઇટ કાર્ય પ્રથમ પ્રકાશિત થાય છે તે વર્ષ પછીનાં કેલેન્ડર વર્ષની શરૂઆતથી સાઠ વર્ષ સુધી કોપીરાઇટ જળવાઇ રહે છે. નિવેદન II : આવા કાર્યો માટે, પ્રકાશનનો અર્થ નકલો જારી કરીનેઅથવા જાહેર જનતા સમક્ષ સંચાર મારફતે જાહેર જનતા માટે કાર્ય ઉપલબ્ધ કરવું થાય છે.
(A) માત્ર નિવેદન I સાચું છે।
(B) બંને નિવેદનો I અને II ખોટા છે
(C) બંને નિવેદનો I અને II સાચા છે।
(D) માત્ર નિવેદન II સાચું છે
Answer: (C)
કારણ: બંને નિવેદનો Copyright Act મુજબ સાચા છે.
Question 6: ગાર્ડિયન્સ અને વો અધિનિયમ, 1890 હેઠળ પરિણિત સ્ત્રી સગીર માટે ગાર્ડિયનની નિમણૂક કરવા માટે કઈ શરત લાગુ થાય છે ?
(A) પતિને કાનૂની રીતે અસમર્થ જાહેર કરવા જોઇએ.
(B) પતિએ આવી નિયુક્તિમાટે સંમત્તિ આપવી જોઇએ .
(C) માતા-પિતાએ આવી નિયુક્તિ માટે સંયુક્ત રીતે અરજી કરવી જોઇએ.
(D) પતિને અદાલત દ્વારા અયોગ્ય ગણવા જોઇએ.
Answer : (D)
કારણ: પરણિત સગીર સ્ત્રી માટે પતિ અયોગ્ય હોવાનું કોર્ટ માને ત્યારે જ અન્ય ગાર્ડિયનની નિમણૂક થઈ શકે.
Question 7 : ભારતનાં બંધારણ હેઠળ બંધારણીય સુધારાઓના સંદર્ભમાં નીચેના નિવેદનો ધ્યાનમાં લો: | I. ન્યાયિક સમીક્ષાઓ બંધારણીય સુધારાઓ સુધી લંબાય છે. II. 24મી એપ્રિલ, 1973 પછી નવમાં શિડ્યુલમાં દાખલ કરેલા કાયદા મૂળભૂત માળખાનાં ઉલ્લંઘન માટે તપાસ માટે ખુલ્લા રહે છે. III. આર્ટિકલ 368 હેઠળ સંસદની સુધારો કરવાની સત્તા અમર્યાદિત છે. ઉપરનામાંથી કયું/કયા નિવેદન સાચું/સાચા છે ?
(A) I, II અને III
(B) માત્ર 1
(C) I અને II
(D) II અને III
Answer : (C)
કારણ: Judicial Review સુધારાઓ સુધી વિસ્તરે છે અને 24-4-1973 પછી Ninth Schedule માં મૂકાયેલા કાયદાઓ Basic Structure Test હેઠળ ચકાસી શકાય.
Question 8 : પર્યાવરણ (સુરક્ષા) અધિનિયમ, 1986ની સેક્શન 3(2)(ii) હેઠળ કેન્દ્ર સરકારની સત્તામાં નિીચેનામાંથી શેનો સમાવેશ થતો।
નથી ?
(A) પર્યાવરણનાં પ્રદૂષણને સંબંધિત બાબતોના સંબંધમાં માહિતી એકત્રિત કરવી અને તેનો પ્રસાર કરવો।
(B) પર્યાવરણની ગુણવત્તા માટે તેના વિવિધ પાસાઓમાં ધોરણી નિર્ધારિત કરવા
(C) પર્યાવરણ પ્રદૂષણની સમસ્યાને સંબંધિત તપાસ અને સંશોધન હાથ ધરવા અને પ્રાયોજિત કરવા
(D) પર્યાવરણ પ્રદૂષણને રોકવા, નિયંત્રિત કરવા અને ધટાડા માટે રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમનુંઆયોજન અને અમલીકરણ
Answer (D)
કારણ: Environment (Protection) Act, 1986ની Section 3(2)(ii) અનુસાર કેન્દ્ર સરકારને રાષ્ટ્રીય સ્તરે પર્યાવરણીય પ્રદૂષણના નિવારણ, નિયંત્રણ અને અવરોધ માટે nation-wide programme (દેશવ્યાપી કાર્યક્રમ)નું planning and execution (યોજના અને અમલ) કરવાની સત્તા છે.
Question 9 : રાજ્ય સરકાર ઔઘોગિક પાર્ક માટે અનુસૂચિત જનજાતિ (ST)ની 50 એકર જમીનનું હસ્તાંતરણ કરવાની યોજના બનાવે છે.લાગુ થવા પાત્ર કાયદા હેઠળ નીચેના પગલાં પ્રસ્તાવિત છેઃ
(i) પ્રારંભિક નોટિફિકેશન
(ii) સોશિયલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ(SIA)
(iii) ગ્રામ સભા પરામર્શ/સંમત્તિ
(iv) અંતિમ નોટિફિકેશન
નીચેનામાંથી કયું નિવેદન સાચું છે?
(A) અંતિમ નોટિફિકેશન માત્ર માલિકની સંમત્તિ સાથે ગ્રામ સભા વિના જારી કરી શકાય છે.
(B) ગ્રામ સભા માત્ર સલાહકાર છે; જાહેર પ્રોજેક્ટ્સ માટે સંમત્તિની જરૂર હોતી નથી.
(C) અંતિમ નોટિંફિકેશન SIA પહેલા, પરંતુ પ્રારંભિક નોટિફિકેશન પછી આવી શકે છે.
(D) SIA અને ગ્રામ સભા પરામર્શ/સંમત્તિ ST જમીન માટે ફરજિયાત છે; હસ્તાંતરણ સંમત્તિ વિના આગળ વધી શકે નહીં.
Answer (D)
કારણ: ST જમીન સંપાદનમાં SIA અને Gram Sabhaની પ્રક્રિયા મહત્વપૂર્ણ અને ફરજિયાત છે.
Question 10 : દહેજ પ્રતિબંધ અધિનિયમ, 1961 હેઠળ દહેજ આપવા અથવા લેવા બદલ ઓછામાં ઓછી કેટલી જેલની સજા નિર્ધારિત
કરવામાં આવી છે ?
(A) દસ વર્ષથી ઓછી નહીં
(B) સાત વર્ષથી ઓછી નહીં
(C) ત્રણ વર્ષથી ઓછી નહીં
(D) પાંચ વર્ષથી ઓછી નહીં|
Answer (D)
કારણ: Dowry Prohibition Act હેઠળ ઓછામાં ઓછી 5 વર્ષની સજા નક્કી કરાઈ છે.
Question 11 : સેકન્ડ ક્લાસના મેજિસ્ટ્રેટ એક મહિનાની જેલની સજા ફટકારે છે. આરોપી અપીલ કરવા માગે છે ફોજદારી પ્રક્રિયા સંહિતા
(CrPC), 1973ને આધારે,નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે ?
(A) જો દંડ પણ લાદવા માં આવ્યો હોય માત્ર તો જ અપીલ થઈ શકે છે.
(B) આ વિશેષ કેસમાં અપીલ ટકી શકે નહીં.
(C) સેશન કોર્ટ સમક્ષ આરોપી અપીલ ફાઇલ કરવા માટે હકદાર છે.
(D) આરોપી હાઇકોર્ટમાં સીધી અપીલ કરવાનુંપસંદ કરી શકે છે.
Answer (B)
કારણ: Second Class Magistrate દ્વારા એક મહિનાની સજા હોય ત્યારે CrPC મુજબ સામાન્ય અપીલ ઉપલબ્ધ નથી.
Question 12 : A, Bના પક્ષમાં એ જણાવીને એક દસ્તાવેજ અમલી કરે છે કે “હું અહીં મારું ઘર Bને ₹ 5,00,000માં વેચું છું. જો હું 3 વર્ષની
અંદર રકમની પુનઃચુકવણી કરું છું તો B મને સંપત્તિ ટ્રાન્સફર કરશે; નહીંતર વેચાણ પૂર્ણ થશે.” શરત સમાન દસ્તાવેજમાં
સામેલ કરવામાં આવી છે.
A 3 વર્ષની અંદર પુનઃચુકવણી કરવામાં નિષ્ફળ જાય છે. B સંપૂર્ણ માલિકીનો દાવો કરે છે. સંપત્તિનું ટ્રાન્સફર અધિનિયમ,
1882 હેઠળ યોગ્ય કાનૂની સ્થિતિની તપાસ કરો.
(A તે શરતી વેચાણ દ્વારા માર્ગેજ છે; Bએ અદાલત દ્વારા ફોરક્લોઝર મેળવવું જોઇએ.
(B) તે પુનઃખરીદી માટે વિકલ્પ સાથેની લીઝ છે.
(C) વ્યવહાર અનિશ્રિતતા માટે રદબાતલ થાય છે.
(D) તે એક સંપૂર્ણ વેચાણ છે; B આપમેળે સંપૂર્ણ માલિક બને છે.
Answer (A)
કારણ: એક જ દસ્તાવેજમાં વેચાણ તથા પુનઃહસ્તાંતરણની શરત હોવાથી Mortgage by Conditional Sale બને છે.
Question 13 : X બેંક A પાસેથી ₹ 10,00,000ની લોન લે છે. Y જામીનદાર તરીકે કરાર પર હસ્તાક્ષર કરે છે, જેમાં જો X ડિફોલ્ટ થાય તો બેંકને ચુકવણી કરવાનુંવયન આપે છે.3 મહિના પછી બેંક A Yને જાણ કર્યા વિના વ્યાજદર ઘટાડવા અને પુનઃચુકવણીની અવધિને 6 મહિના સુધી લંબાવવા માટે સંમત્ત થાય છે. પછીથી X લોન પર ડિફોલ્ટ થાય છે.
નીચેનામાંથી કયું નિવેદન ભારતીય કરાર અધિનિયમ 1872 ઠેઠળ ની જવાબદારીને સચોટ રીતે વર્ણવે છે ?
(A) સુધારા ને ધ્યાનમાં લીધા વિના જો બેંકપહેલા મુખ્ય દેવાદાર પર દાવો કરેછે. માત્ર તો જ Y જવાબદાર હોય છે.
(B) Y બિલકુલ જવાબદાર નથી, કારણ કે કરારમાં સુધારો કર્યા પછી મુખ્ય દેવાદાર ડિફોલ્ટ થયા છે.
(C) Y સમગ્ર લોન માટે સંપૂર્ણપણે જવાબદાર છે, કારણ કેમુખ્ય દેવાદાર ડિફોલ્ટ થાય ત્યાર પછી જામીનદાર હંમેશા જવાબદાર હોય છે.
(D) Yને આંશિક રીતે જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવે છે, કારણ કે બેંક A ના ફેરફાર થી Y નું તેમની સંમતિ વિના જોખમ વધ્યુંહતું.
Answer (D)
કારણ: જામીનદારની સંમતિ વિના કરારમાં ફેરફાર થાય તો જામીનદાર મુક્ત થઈ શકે.
Question 14 : ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS), 2023એ દલીલ પૂર્ણ થયા પછી ચૂકાદો આપવામાટે વિશિષ્ટ સમયસીમા રજૂકરી
છે. આ સમયસીમા શું છે ?
(A) 90 દિવસની અંદર, વિલંબ માટેનાં કારણો નોંધવામાં આવ્યા હોય તે શરતે
(B) 30 દિવસની અંદર (45 દિવસ સુધી લંબાવી શકાય)
(C) આદેશ અનામત રાખ્યો હોવાની તારીખથી 60 દિવસની અંદર
(D) 15 દિવસની સખત અવધિની અંદર 回
Answer (B)
કારણ: BNSS મુજબ ચુકાદો 30 દિવસમાં અને વિશેષ કારણોસર 45 દિવસ સુધી આપી શકાય.
Question 15 : નીચેના પ્રશ્નમાં એક નિવેદન પછી બે નિષ્કર્ષ, I અને II આપવામાં આવ્યા છે. નિવેદન : બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા એડવોકેટઅધિનિયમ, 1961ની સેક્શન 49(1)(c)માંથી તેની નિયમ નિર્માણ સત્તા|
મેળવે છે, જે તેને વકીલો દ્વારા પાલન કરવાના રહેતા વ્યાવસાથિક આચરણ અને શિષ્ટાચારનેનિયંત્રિત કરતા નિયમો ઘડવા માટે અધિકૃત્તતા આપે છે. તેના હેઠળ ધડવામાં આવેલી નિયમ 20 સ્પષ્ટપણે વકીલને એવી કોઇ પણ ફી નિર્ધારિત કરવા
અથવા લેવાથી સ્પષ્ટપણે રોકે છે, જેની રકમ મુકદમાનાં પરિણામ પર આથારિત હોય, અથવા તેની આવકમાં હિસ્સો લેવા માટેની કોઇ વ્યવસ્થા કરવાથી રોકે છે. જે વકીલ આ નિયમનું ઉલ્લંઘન કરે છે તેમના વિરુદ્ધ અધિનિયમની સેક્શન 35 હેઠળ કાર્યવાહી થઈ શકે છે.
નિષ્કર્ષ 1: એક વકીલ કાયદેસર રીતે પરિણામ સંબંધિત ફીની વ્યવસ્થામાં પ્રવેશ કરી શકે છે, જ્યાં સુધી જોડાણ પહેલા લેખિત સંમત્તિ પ્રાપ્ત કરવામાં આવી હોય.
નિષ્કર્ષ I1 : એક વકીલ જે આકસ્મિકતાને આધારિત ફી પરનાં પ્રતિબંધનું ઉલ્લંઘન કરતા હોય તો તેમણે એડવોકેટ
અધિનિયમ, 1961 હેઠળ શિસ્તબદ્ધ કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.
ઉપરનાં નિવેદન અને નિષ્કર્ષના સંદર્ભમાં, નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે ?
(A) માત્ર નિષ્કર્ષI અનુસરે છે
(B) માત્ર નિષ્કર્ષ I અનુસરે છે
(C) નિષ્કર્ષા કે અનુસરતા નથી।
(N બંને નિષ્કર્ષ1 અને II અનુસરે છે|
Answer (A)
કારણ: Contingency Fee પ્રતિબંધિત છે; તેથી Conclusion I ખોટું અને Conclusion II સાચું.
Question 16 : ભારતીય સાક્ષ્ય અધિનિયમ, 2023 કયા કિસ્સામાં લાગુ થતો નથી?
(A) નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ
(B) ઇન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ
(C) આર્બિટ્રલ ટ્રિબ્યુનલ
(D) નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ
Answer (C)
કારણ: ભારતીય સાક્ષ્ય અધિનિયમ/ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023 Arbitration Proceedings પર લાગુ પડતું નથી.
Question 17 : કાયદેસરની ફોજદારી કાર્યવાહી
જામીન) સંહિતા (CrPC), 1973ની સેક્શન 167 હેઠળ, જો તપાસ પૂર્ણ થઈ ન હોય તો ‘ડિફોલ્ટ જામીન’ (અથવા કાયદેસરના જામીન)
આરોપીનો અધિકાર છે :
(A) તમામ પ્રકારના અપરાધો માટે 30 દિવસની નિશ્ચિત અવધિ માટે.
(B) આરંભિક 15-દિવસની પોલીસ કસ્ટડી પૂર્ણથયા પછી તરત.
(C) ખાસ કરીને રાજ્ય સામે અપરાધો માટે 120 દિવસની સમાપ્તિ પર.
(D). 60 દિવસ અથવા 90 દિવસ પછી, ગુના માટે નિર્ધારિત મહત્તમ સજા પર આધાર રાખે છે.
Answer (D)
કારણ: Default Bail નો અધિકાર 60 અથવા 90 દિવસ પછી મળે છે.
Question 18 : નીચેનામાંથી ક્ય કેસમાં લોર્ડ રાઇટે નોંધ્યું હતુંકે “હેબિયસ કોર્પસનું અત્યધિક મૂલ્ય એ છે કે તે અરજદારની સ્વતંત્રતાનેતાત્કાલિક નિર્ધારિત કરવા માટે સક્ષમ બનાવે છે”?
(A) બુગડેકે વિરુદ્ધ ગૃહ વિભાગ માટે રાજય સચિવ (1987) AC 514
(B ગ્રીન વિરુદ્ધ ગૃહ બાબતોના રાજ્ય સચિવ (1942) AC 284
(C) હોંગકોંગ માટે એટર્ની જનરલ વિરુદ્ધ એનજી યુએન શિયુ (1983) 2 AC 629
(D) ન્યુ સાઉથ વેલ્સ માટે એટર્ની જનરલ વિરુ ટ્રેથોવાન (1932) AC 526
Answer (B)
કારણ: Lord Wrightનું અવલોકન Greene v. Secretary of State for Home Affairs કેસમાં છે.
Question 19 : ભારતનાં બંધારણના નીચેનામાંથી કયો આર્ટિકલ સંસદ દ્વારા હવા (પ્રદૂષણ નિવારણ અનેનિયંત્રણ) અધિનિયમ. 1981ને
ઘડવા માટે પ્રાથમિક કાયદાકીય આધાર બનાવે છે?
(A) આર્ટિકલ 252
(B) આર્ટિકલ 233
(C) આર્ટિકલ 253
(D) ઉપરમાંથી કોઇ નહીં
Answer (C)
કારણ: Air Act, 1981 માટે Article 253 આધારરૂપ છે.
Question 20 : ઇન્ડિયન પિનલ કોડ (IPC), 1860ની સેક્શન 362ની જોગવાઇઓ હેઠળ નીચેનામાંથી કર્યોો વિકલ્પ ‘અપહરણ નો ગુનો।
બનાવવા માટે ફરજિયાત કાનૂની આવશ્યકતા (ઘટક) નથી ?।
(A) શારીરિક બળનો ઉપયોગ અથવા કપટપૂર્ણ માધ્યમોનો ઉપયોગ।
(B) અપહરણ કરેલી વ્યક્તિ સગીર હોવી જોઇએ
C) વ્યક્તિનેએક સ્થળેથીઅન્ય સ્થળે ખસેડવા માટે મજબૂર કરવું અથવા પ્રેરિત કરવું
(D) આ કૃત્યનું “સતત ગુના” તરીકેનું વર્ગીકરણ|
Answer (B)
કારણ: અપહરણ (Abduction) માટે વ્યક્તિ સગીર હોવી જરૂરી નથી.
Question 21 : પરિસ્થિતિગત પુરાવાના સંબંધમાં સુપ્રીમ કોર્ટના કયા ચૂકાદામાં પાંચ સુવર્ણ સિદ્ધાંત્તો નિર્ધારિત કરવામાં આવ્યા હતા ?
(A) ડો. સુનિલ ક્લિફોર્ડ ડેનિયલ વિરુદ્ધ પંજાબ રાજ્ય (2012) 11 SCC 205
(B) વાસા ચંદ્રશેખર રાવ વિરુદ્ધ પોન્ના સત્યનારાયણ અને અન્ય, 2000 AIR SC 2138
((૯1 શરદ બિરધીચંદ્ર સારદા વિરુદ્ધ મહારાષ્ટ્ર રાજ્ય, 1984 AIR 1622
(D) દૂધ નાથ પાંડે વિરુદ્ધ ઉત્તરપ્રદેશ રાજ 1981 SCC (2) 166
Answer (C)
કારણ: Circumstantial Evidenceના Five Golden Principles Sharad Birdhichand Sarda કેસમાં નિર્ધારિત થયા હતા.
Question 22 : લોકપ્રિય ગાયક અજીત સિંઘ યશ આદિત્ય મ્યુઝિક કંપની સાથે કરાર કરે છે, જેમાં 2 વર્ષ સુધી માત્ર તેમના માટે જ પર્ફોર્મ કરવા માટે અને તે સમય દરમિયાન અન્ય કોઇ કંપની માટે પરફોર્મ નહીં કરવા માટે સંમત્ત થયા છે. એક વર્ષ પછી અજીતસિંધ યશ આદિત્ય મ્યુઝિક કંપની માટે પરફોર્મ કરવાનો ઇન્કાર કરે છે અને બીઆર ચોપરા એન્ડ કંપની માટે પરફોર્મ કરવાનું
શરૂ કરે છે. યશ આદિત્ય મ્યુઝિક કંપની અજીત સિંઘને બી આર ચોપરા એન્ડ કંપની માટે પરફોર્મ કરવાથી રોકવા માટે એક મનાઇ હુકમ માગતો મૂકદમો દાખલ કરે છે.
નીચેનામાંથી કયું નિવેદન વિશિષ્ટ રાહત અધિનિયમ, 1963 હેઠળ સાચું છે?
(A) અદાલતે અજીત સિંઘને યશ આદિત્ય મ્યુઝિક કંપની માટે ગાવાની ફરજ પાડવી જોઇએ.
(B) મનાઇ હુકમ નકારાત્મક કરાર લાગુ કરવા માટે આપી શકાય છે.
(C) મનાઇ હુકમ નકારવો જોઇએ, કારણ કે વ્યક્તિગત સેવાના કરારો લાગુ કરી શકાતા નથી.
(D) માત્ર નુકસાની જ મંજૂર કરી શકાય છે.
Answer (B)
કારણ: Negative Covenant અમલમાં લાવવા માટે Injunction આપી શકાય.
Question 23 : ભારતીય ન્યાય સંહિતા (BNS), 2023ની સેક્શન 4 હેઠળ સજાનાં માળખામાં નીચેનામાંથી કયા નવીન દંડ ઉપાયોને સત્તાવાર રીતે સામેલ કરવામાં આવ્યા છે ?
(A સમુદાય સેવા
(B) પૈતૃક સંપત્તિની ફરજિયાત જપ્તી
(C) પેરોલની શક્યતા વિના આજીવન કારાવાસ
(D) એકાંત કારાવાસ
Answer (A)
કારણ: BNS, 2023માં Community Service નવી સજાના સ્વરૂપ તરીકે ઉમેરાઈ છે.
Question 24 : સિવિલ કાર્યવાહી સંહિતા. 1908ની જોગવાઇઓ અનુસાર, જ્યાં અદાલતનેદલલની તપાસ કરતી વખતે કેટલીક દલીલો બિનજરૂરી અને યોગ્ય સુનાવણીને પૂર્વગ્રહયુક્ત અથવા વિલંબિત કરી શકે એવી લાગે છે તો અદાલત આવા કિસ્સામાં
નીચેની બાબતો કરી શકે છેઃ
(A) કાર્યવાહીના કોઇ પણ તબક્કે આવી દલીલો રદ કરી શકે છે |
(B) કોઇ આદેશ પસાર કર્યા વિના આવી દલીલોને અવગણી શકે છે
(C) સુનાવણી શરૂથાય માત્ર ત્યાર પછી સીધો સુધારો કરી શકે છે|
(D) દાવાને સંપૂર્ણ રીતે નકારી શકે છે |
Answer (A)
કારણ: Order VI Rule 16 CPC હેઠળ અનાવશ્યક Pleadings કોઈપણ તબક્કે Strike Out કરી શકાય.
Question 25 : ભારત – દેશ X યુદ્ધ દરમિયાન, ભારત Xને દુશ્મનદેશ ધોષિત કરે છે. A (ભારતીય નાગરિક)તટસ્થ મધ્યસ્થી અને બેંક
મારફતે B (Xના નાગરિક)ને દવાઓ સપ્લાય કરવા માટે એક કરાર કરે છે.
નીચેનામાંથી કો વિકલ્પ ભારતીય કરાર અધિનિયમ, 1872 હેઠળ સૌથી ચોક્કસ છે ?।
(A) માન્ય- માલ માનવીય છે અને ચુકવણી તટસ્થ દેશ મારફતે થાય છે.
() રદબાતલ–યુછુમાં દુશ્મન સાથે વેપાર કરવો પ્રતિબંધિત છે અને તે જાહેર નીતિની વિરુ છે.
(C) રદબાતલ કરી શકાય -માત્ર ભારત સરકાર રદ કરી શકે છે.
(D) માન્ય સરકાર સ્પષ્ટપણે રદન કરેત્યાં સુધી.
Answer (B)
કારણ: યુદ્ધ દરમિયાન દુશ્મન દેશ સાથેનો વેપાર જાહેર નીતિ વિરુદ્ધ હોવાથી અમાન્ય બને છે.
Question 26 : સિવિલ પ્રક્રિયા સંહિતા, 1908ની સેક્શન 35B હેઠળ, જ્યાં પક્ષ નિર્ધારિત તારીખના રોજ અદાલત દ્વારા આવશ્યક પગલું|
ભરવામાં નિષ્ફળ જાય છે તો અદાલત નીચે જણાવેલ કરી શકે છેઃ
(A) વધુ કાર્યવાહી કરવા માટે પૂર્વશરત તરીકે ખર્ચ લાદી શકે છે.
(B) અધિકારના વિષય તરીકે મુલતવી રાખી શકે છે.
(C) કોઇ પણ શરત લગાવ્યા વિના મુકદમો આગળ વધારી શકે છે.
(D) મુકદમાને રદ કરી શકે છે.
Answer (A)
કારણ: Section 35B CPC હેઠળ આગળની કાર્યવાહી માટે ખર્ચ (costs) લાદી શકાય.
Question 27 : યુનિફોર્મ સિવિલ કોડ નિયમો, ઉત્તરાખંડ, 2025 હેઠળ, કાનૂની વારસદાર(રો)ની ઘોષણાં માટેની અરજી રજિસ્ટ્રાર જનરલને
ક્યારે મોકલવામાં આવે છે ?
(A) પ્રાપ્ત થયાના ત્રીસ દિવસ પછી જો રજિસ્ટ્રાર કોઇ કાર્યવાહી ન કરે
(B) પ્રાપ્ત થયાના પંદર દિવસ પછી જો રજિસ્ટ્રાર કોછ કાર્યવાહી ન કરે
(C) પ્રાપ્ત થયાના દસ દિવસ પછી જો રજિસ્ટ્રાર કોઇ કાર્યવાહી ન કરે
(D) ઉપરમાંથી એક પણ નહીં|
Answer (B)
કારણ: UCC Uttarakhand Rules, 2025 મુજબ Registrar 15 દિવસમાં કાર્યવાહી ન કરે તો મામલો આગળ મોકલાય છે.
Question 28 :ભારતીય ન્યાય સંહિતા (BNS), 2023ની કઈ વિશિષ્ટ જોગવાઇ હેઠળ ‘આઆંાંતકવાદી અધિનિયમ’ની વ્યાખ્યાને ભારતન
સામાન્ય દંડ કાયદામાં પ્રથમ વખત ઔપચારિક રીતે સંકલિત કરવામાં આવી હતી ?
(A) સેક્શન 121
((B) સેક્શન 113
(C) સેક્શન 109
(D) સેક્શન 152
Answer (B)
કારણ: BNS Section 113માં પ્રથમ વખત Terrorist Actની વ્યાખ્યા સમાવાઈ છે.
Question 29 : દૃહેજ પ્રતિબંધ અધિનિયમ, 1961 હેઠળ, લગ્નની તારીખથી કેટલા મહિનાની અંદર લગ્ન પહેલા પ્રાપ્ત દહેજ સ્ત્રીને ટ્રાન્સફર
કરવું જોઇએ ?|
(A) ત્રણ મહિનાનીઅંદર
(B) પાંચ મહિનાની અંદર ।
(C) છ મહિનાની અંદર।
(D) સાત મહિનાની અંદર |
Answer (A)
કારણ: લગ્ન પહેલાં મળેલ દહેજ લગ્ન પછી 3 મહિનામાં સ્ત્રીને સોંપવો જરૂરી છે.
Question 30 : નિર્દેશો : નીચેના પ્રશ્નોમાં બે નિવેદનો સામેલ છે. એકને વિધાન (A) અને અન્યને કારણ (R) તરીકે લેબલ આપવામાં આવ્યું
છે. તમે આ બંને નિવેદનોનુંધ્યાનપૂર્વક નિરીક્ષણ કરશો અને નિર્ણય લો કે વિધાન (A) અને કારણ (R) અલગ અલગ રીતે
સાચા છે કેકેમ અનેજો આમ હોય તો શું કારણ (R) વિધાન (A)ની સાચી સમજૂતી છે.
વિધાન (A) : આવકવેરો અગાઉના વર્ષમાં વ્યક્તિની કુલ આવક પર લાદવામાં આવે છે.
કારણ (R) : અગાઉના વર્ષ દરમિયાન કમાવેલી આવક આવકવેરા અધિનિયમ, 1961 હેઠળ તરત જ આવતા આકારણી
વર્ષમાં કરપાત્ર ગણવામાં આવે છે.
ઉત્તરને ચિહ્નિત નીચે પ્રમાણે કરો :
(A) (A) ખોટું છે, પરંતુ (R) સાચું છે.
(B) બંને (A) અને (R) સાચા છે, પરંતુ (R) (A)ની સાચી સમજૂતી નથી.
(C) (બંને (A) અને (R) સાચા છે અને (R) (A)ની સાચી સમજૂતી છે.
(D) (A) સાચું છે, પરંતુ |(R) ખોટું છે.
Answer (C)
કારણ: Assertion અને Reason બંને સાચા છે અને Reason યોગ્ય સમજૂતી આપે છે.
Question 31 : નિર્દેશો:નીચેના પ્રશ્નોમાં બે નિવેદનો સામેલ છે, એકને વિધાન (A) અને અન્યને કારણ (R) તરીકે લેબલ આપવામાં આવ્યું|છે. તમે આ બંને નિવેદનોનુંધ્યાનપૂર્વક નિરીક્ષણ કરશો અને નિર્ણય લો કે વિધાન (A) અને કારણ (R) અલગ અલગ રીતે
સાચા છે કે કેમ અને જો આમ હોય તો શું કારણ (R) વિધાન (A)ની સાચી સમજૂતી છે.
વિધાન (A) : પ્રતિવાદી ચેરિટેબલ ટ્રસ્ટમાં સફાઈ કર્મચારી તરીકે કાર્યરત હતા. વારંવાર ફરજ પરથી ગેરહાજર રહેવાને લીધે
તેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા ત્યારે વિવાદ શરૂ થયો હતો. ટ્રસ્ટે ચૂકાદાને ઔધોગિક તકરાર અધિનિયમ,
1947ની સેક્શન 2(j) હેઠળ તે ‘ઉધોગ” નથી તે આધાર પર પડકારવામાં આવ્યો હતો, અને તેથી કામદાર કર્મચારી નથી.
જેને લીધે સેક્શન 25- F લાગુ પડતું નથી.
કારણ (R) : ટ્રસ્ટ વાણિજ સાહસો સહિત વિવિધ પ્રવૃત્તિઓમાં સામેલ હતો અને યોગ્ય મહેનતાણાં સાથે સુવ્યવસ્થિતપણે।
વાણિજય અને ચેરિટેબલ પ્રવૃત્તિઓ માટે કર્મચારીઓની ભરતી કરવામાં આવી હતી.
ઔધોગિક તકરાર અધિનિયમ, 1947 હેઠળ ઉપરના વિધાન અને કારણના સંદર્ભમાં, નીચેનામાંથી ક્યો વિકલ્પ સાચો છે?
(A) બંને (A) અને (R) સાચા છે અને (R) (A)ની સાચી સમજૂતી છે.
(B) બંને (A) અને (R) સાચા છે, પરંતુ (R) (A)ની સાચી સમજૂતી નથી.
DO
(C) (A) સાચું છે, પરંતુ (R) ખોટું છે.
(D) (A)ખોટું છે,પરંતુ (R૨) સાચું છે.
Answer (D)
કારણ: Trustની પ્રવૃત્તિઓ તેને Industry બનાવી શકે છે; તેથી Assertion ખોટું અને Reason સાચું છે.
Question 32 : નીચેનામાંથી કયો વિકલ્પ એડવોકેટ અધિનિયમ, 1961ની સેક્શન 9(1) હેઠળ નિર્ધારિતબાર કાઉન્સિલની શિસ્તસમિતિની
રચનાને યોગ્ય રીતે દર્શાવે છે ?
(A) ત્રણ સભ્યો –કાઉન્સિલ દ્વારા ચુંટેલા તમામ, જેમાં સૌથી જુનિયર સભ્યઅધ્યક્ષ તરીકે સેવા આપે છે.
(B) ત્રણ સભ્યો –કાઉન્સિલના સભ્યપદમાંથી ચુંટેલા બે અને નિર્ધારિત લાયકાત ધરાવતા સહ-પસંદ કરેલા એક વકીલ.
જેઓ કાઉન્સિલના સભ્યનથી.।
(C) પાંચ સભ્યો–કાઉન્સિલ દ્વારા ચુંટેલા ત્રણઅને કાઉન્સિલની બહારના સહ-પસંદ કરેલા બે વરિષ્ઠ વકીલો. ।
(D) પાંચ સભ્યો–બારમાં ઓછામાં ઓછા દસ વર્ષ સુધી સેવા આપી ચૂકેલા વકીલોમાંથી સહ-પસંદ કરેલા તમામ.।
Answer (B)
કારણ: Advocates Act, 1961 ની કલમ 9(1) મુજબ Disciplinary Committee માં 3 સભ્યો હોય છે — બે બાર કાઉન્સિલના ચૂંટાયેલા સભ્યો અને એક સહ-પસંદ (co-opted) એડવોકેટ.
Question 33 : સિવિલ પ્રક્રિયા સંહિતા, 1908ની જોગવાઇઓ હેઠળ, જો બહુવિધ પ્રતિવાદીઓ સામે હુકમનામું પસાર કરવામાં આવે, જે તેમના માંથી એકને સમન્સ બજાવવામાં ન આવ્યું હોય અને લડવાની તક મળે નહીં તો આવા પ્રતિવાદી નીચે આપેલ
રાહત મેળવી શકે છેઃ ।
(A) માત્ર હુકમનામા સામે અપીલ મારફતે.
(B) અલગ મુકદમો દાખલ કરીને.।
(C) એકપક્ષીય હુકમનામું રદ કરવા માટેઅપીલ કરીને.
(D) માત્ર સમાન અદાલત સમક્ષ સમીક્ષા મારફતે.
(Answer C)
કારણ: CPC Order IX Rule 13 મુજબ જો સમન્સ મળ્યું ન હોય અને Ex-parte ડિક્રી થઈ હોય તો તે ડિક્રી રદ કરવા અરજી કરી શકાય.
Question 34 : ઈન્ડિયન પિનલ કોડ (IPC), 1860 હેઠળ, નીચેનામાંથી કા સંજોગોમાં ‘શરીરની ખાનગી સુરક્ષાના અધિકાર’ હુમલાખોરને સ્વૈચ્છિક રીતે મારી નાખવાની હદ સુધી લાગુ થાય છે ?
(A) વ્યક્તિનું કિડપિગ અથવા અપહરણ કરવાના વિશેષ ઉદ્દેશ સાથે કરવામાં આવેલો હુમલો (B) ચોરીનો કેસ, જ્યાં ચોરાયેલી (B) સંપત્તિનું મૂલ્ય ₹ 10,000થી વધુ હોય
(C) ખુલ્લી, ખાલીજમીન પર ગુનાઇત અતિક્રમણનું કૃત્ય
(D) હથિયારના ઉપયોગ વિના કરવામાં આવેલો સરળ હુમલો।
Answer (A)
કારણ: IPC કલમ 100 મુજબ અપહરણ (Kidnapping/Abduction) કરવાના ઈરાદાથી થયેલા હુમલા સામે ખાનગી બચાવનો અધિકાર હુમલાખોરના મૃત્યુ સુધી વિસ્તરી શકે.
Question 35 : સિવિલ પ્રક્રિયા સંહિતા, 1908 અનુસાર, જો સિવિલ મુકદમામાં વાદી અદાલત દ્વારા મંજૂર કરેલા સમયની અંદર સમન્સની સેવા માટે અદાલતની આવશ્યક ફી અથવા પોસ્ટલ શુલ્ક ચુકવવામાં નિષ્ફળ જાય છે તો અદાલત નીચે જણાવેલ કરી શકે છેઃ
(A) સેવા અમલમાં આવે ત્યાં સુધી કાર્યવાહી પર રોક લગાવી શકે છે
(B) યોગ્યતાના આધારેમુકદમાનો નિર્ણય લેવા માટે આગળ વધી શકે છે
(C) મુકદમો ફગાવી શકે છે|
(D) નવી રજૂઆત માટે ફરિયાદ પરત કરવી
Answer (C)
કારણ: CPC Order IX Rule 2 મુજબ જો વાદી સમન્સ માટે જરૂરી કોર્ટ ફી અથવા પોસ્ટલ ચાર્જિસ ન ભરે તો અદાલત દાવો (Suit) રદ કરી શકે.
Question 36 : ભારતીય બંધારણની યોજના હેઠળ એક વખત આર્ટિકલ 352 હેઠળ ઘોષણાં અમલમાં આવે ત્યાર પછી સંસદ નીચે
જણાવેલને આધારેરાજ્ય સૂચિમાં મુદ્દાઓ પર કાયદો બનાવી શકે છેઃ
(A) આર્ટિકલ 356
(B) આર્ટિકલ 360
(C) આર્ટિકલ 249
(D) આટિકલ 250
Answer (D)
કારણ: બંધારણની કલમ 250 મુજબ Article 352 હેઠળ Emergency અમલમાં હોય ત્યારે સંસદ State List વિષયો પર કાયદો બનાવી શકે.
Question 37 : “જાહેર હિતની અરજી (PIL)” શબ્દનો ઉપયોગ પ્રથમ વખત કોના દ્વારા કરવામાં આવ્યો હતો ?
(A) ન્યાયાધિશ વી.આર. ક્રિષ્ના ઐયર
(B) ન્યાયાષિશ પી.એન. ભગવતિ
(C) પ્રોફેસર ઉપેન્દ્ર બક્ષી
(D) પ્રોફેસર અબ્રામ ચાયેસ
Answer (B)
કારણ: “Public Interest Litigation (PIL)” શબ્દનો પ્રથમ ઉપયોગ ન્યાયમૂર્તિ પી. એન. ભગવતી દ્વારા લોકપ્રિય બન્યો હતો.
Question 38 : નિર્દેશો: નીચેના પ્રશ્નોમાં બેનિવેદનો સામેલ છે. એકને વિષાન (A) અને અન્યને કારણ (R) તરીકે લેબલ આપવામાં આવ્યું
છે. તમે આ બંને નિવેદનોનુંધ્યાનપૂર્વક નિરીક્ષણ કરશો અનેનિર્ણ લેકેવિષાન () અને કારણ (R) અલગ અલગ રીતે
સાચા છે કેકેમ અને જો આમ હોય તો શું કારણ (R)વિધાન (A)ની સાચી સમજૂતી છે.
વિધાન (A): ભારતનું બંધારણ વિધાનમંડળ કારોબારી અનેન્યાયતંત્રમાં સત્તાઓના કઠોર વિભાજનને અપનાવતું નથી.
કારણ (R): બંધારણીય માળખું નિયંત્રણ અને સંતુલનનીપ્રણાલી સામેલ કરેછે, જે રાજ્યના ઘટકો વચ્ચેમર્યાદિત કાર્યાત્મક
ઓવરલેપની મંજૂરી આપે છે.
ભારતનાં બંધારણના સંદર્ભમાં નીચેનામાંથી ક નિવેદન સાચું છે ?
(A) બંને (A) અને (R) સાચા છે, પરંતુ (R)(A)ની સાચી સમજૂતી નથી.
(B) (A) ખોટું છે, પરંતુ (R) સાચું છે.
(C) બંને (A) અને (R) સાચા છે અને (R) (A)ની સાચી સમજૂતી છે.
(D) (A) સાચું છે, પરંતુ (R) ખોટું છે.
Answer (C)
કારણ: Assertion અને Reason બંને સાચા છે. ભારતના બંધારણમાં સંપૂર્ણ Separation of Powers નથી અને Checks & Balances પ્રણાલી એ જ તેનું કારણ છે.
Question 39 : ભારતીય ન્યાય સંહિતા (BNS), 2023ની જોગવાઇ હેઠળ, “માનહાનિ’ના ગુના માટે અદાલતમાં ઉપલબ્ય સજાઓન્નપ્રવર્તમાન શ્રેણી કઈ છે ?”
(A) સાદીકેદ, અથવા દંડ, અથવા બંને, અથવા સમુદાય સેવા।
(B) 5 વર્ષ માટે સખત કેદ
(C) માત્ર એક દંડ
(D) માત્ર ખુલ્લી અદાલતમાં માફી માગવી
(A)
કારણ: BNS, 2023 હેઠળ માનહાનિ (Defamation) માટે Simple Imprisonment, Fine, બંને અથવા Community Service ની સજા થઈ શકે.
Question 40 : ફોજદારી પ્રક્રિયા સંહિતા CrPC 1973 ની કઈ જોગવાઈ પોતાની જાતનું ગુજરાન ચલાવવા માટે અસમર્થ હોય એવા જીવનસાથી. બાળકો અને માતા-પિતાનાં ભરણપીષણ માટે સંક્ષિપ્ત કાનૂની ઉપાય પૂરો પાડે છે ?
(A) સેક્શન 320
( B) સેક્શન 125
(C) સેક્શન 107
(D) સેક્શન 144
Answer : (B) Section 125
કારણ: CrPC કલમ 125 પતિ/પત્ની, બાળકો અને માતા-પિતાના ભરણપોષણ માટેની જોગવાઈ કરે છે.
Question 41 : પરમાનંદ કટારા વિરુદ્ધ ભારતીય સંધ (1989)નો કેસ નીચેનામાંથી કયા અધિકાર સાથે પ્રાથમિક રીતે સંકળાયેલો છે ?
(A) જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાની
(B) અધિકાર આપાતકાલિન તબીબી સંભાળનો અધિકાર
(C) સ્વચ્છ અને સ્વાસ્થ્યવર્ધક પર્યાવરણનો
(D) અધિકાર ઝડપી સુનાવણીનો અધિકાર
Answer : (B) Right to Emergency Medical Care ✓
કારણ: Parmanand Katara v. Union of India (1989) કેસમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે દરેક ડૉક્ટરની પ્રથમ ફરજ દર્દીનો જીવ બચાવવાની છે.
Question 42 : ભારતીય નાગરિક સુરક્ષા સંહિંતા (BNSS). 2023ની જોગવાઇઓ અનુસાર, પ્લી બાર્ગેનિંનગ’ માટે અરજી કરવાનો ઇરાદો ધરાવતા દિવસ આરોપી વ્યક્તિએ આરોપો ને ઘડ્યા પછી કેટલા દિવસની અંદર આમ કરવું આવશ્યક છે ?|
(A) 7
(B) 15 દિવસ
(C) 30 દિવસ
(D) 60 દિવસ
Answer : (C) 30 Days
કારણ: BNSS, 2023 મુજબ Plea Bargaining માટે આરોપ નક્કી થયા પછી 30 દિવસની અંદર અરજી કરવી જરૂરી છે.
Question 43 : સિવિલ પ્રક્રિયા સંહિતા, 1908ની સ્કિમ હેઠળ, જ્યાં કાર્યવાહીઓ સમકક્ષ સિવિલ અદાલત સમક્ષ પડતર છે અને કેસને રાજ્યમાં એક જિલ્લાથી અન્ય જિલ્લામાં ટ્રાન્સફર કરવાની અરજી કરવામાં આવી છે, આવા ટ્રાન્સફરનો આદેશ નીચે આપેલ દ્વારા આપવામાં આવી શકે છેઃ
(A) મુકદમો પડતર હોય માત્ર એવી અદાલત દ્વારા
(B) હાઇકોર્ટ દ્વારા
(C) માત્ર સુનાવણીના સમાપન પછી
(D) માત્ર પક્ષો વચ્ચે સંમત્તિ થવા પર
Answer (B) By the High Court
કારણ: CPC કલમ 24 મુજબ એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં કેસ ટ્રાન્સફર કરવાનો અધિકાર હાઈકોર્ટને છે.
Question 44 : મધ્યસ્થી અને સમાધાન અધિનિયમ, 1996ના સેક્શન 5 હેઠળ આર્બિટ્રેશન (મધ્યસ્થી) કાર્યવાહીમાં ન્યાયિક હસ્તક્ષેપ
મર્યાદિત હોય છે. નીચેનામાંથી કઈ સ્થિતિમાં અદાલત હસ્તક્ષેપ કરી શકે છે ?
(A) જ્યારે અધિનિયમ હેઠળ વિશિષ્ટ જોગવાઇ વિના કાર્યવાહી સંબંધી અનિયમિતતાની આક્ષેપ મૂકવામાં આવે.
(B) જ્યારે અદાલત ચૂકાદાને તથ્યોને આધારેઅન્યાયી માને છે.
(C) જ્યારેઅધિનિયમ આવા હસ્તક્ષેપની સ્પષ્ટપણે મંજૂરી આપે છે.
(D) જ્યારે બંને પક્ષો કાર્યવાહીની દેખરેખની વિનંતી કરે છે.
Answer (C) When the Act expressly permits such intervention ✓
કારણ: Arbitration and Conciliation Act, 1996 ની કલમ 5 મુજબ અદાલતી હસ્તક્ષેપ માત્ર કાયદામાં સ્પષ્ટ પરવાનગી હોય ત્યારે જ શક્ય છે.
Question 45 : નીચેના માંથી કયું નિવેદન ભારતીય પુરાવા અધિનિયમ, 1872ની સેક્શન 65Bના સંબંધમાં સાચું નથી?
(A) અર્જુન પંડિતરાવ ખોટકર વિરુદ કૈલાશ કુશનરાવ ગોરંત્યાલ, (2020) 7 SCC 1 – સીમાચિહ્નરૂપ ચૂકાદો સંબંધિત
જોગવાઇઓનું તાજેતરનુંઅર્થઘટન છે, જેકાયદાકીય ઉદ્દેશ સાથે સુસંગત અભિગમ પૂરો પાડે છે.
(B) AIR 2005 SC 3820માં નોંધાયેલા રાજ (દિલ્હીના NCT) વિરુ, નવજોત સંધુમાં માનનીય સુપ્રીમ કોર્ટે ઠેરવ્યું હતું|
કે અદાલતો પ્રિન્ટઆઉટ્સ અને કોમ્પેકટ ડિસ્ક (સીડી) જેવા ઇલેક્ટ્રોનિક રેકોર્ડ્સને પ્રમાણીકરણ વિના પ્રથમ દૃષ્ટિનેા।
પુરાવા તરીકે સ્વીકારી શકે છે.
(C) ભારતીય પુરાવા અધિનિયમ, 1872 (“પુરાવા અધિનિયમ”)ની સેક્શન 65B(4) હેઠળ પ્રમાણપત્રની જરૂરિયાત.
પુરાવામાં ઇલેક્ટ્રોનિક રેકોર્ડની સ્વીકાર્યતા માટે એક પૂર્વશરત છે.
(D) પી. વી. અનવર વિરુ પી.કે. બશીરમાં, અદાલતે ઠેરવ્યુંહતું કે 65B ઇલેક્ટ્રોનિક પુરાવા માટે “સંપૂર્ણ કોડ” છે.
Answer (B)
કારણ: Navjot Sandhu (Parliament Attack Case) નો અભિગમ બાદમાં P.V. Anvar અને Arjun Panditrao ચુકાદાઓ દ્વારા બદલાઈ ગયો. પ્રમાણપત્ર વિના ઇલેક્ટ્રોનિક પુરાવા સ્વીકારવા અંગેનું નિવેદન સાચું નથી.
Question 46 : બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિા દ્વારા ઘડવામાં આવેલા વ્યાવસાયિક આચરણ અને શિષ્ટાચારના ધોરણના નિયમ 8 હેઠળ |કોઇ વકીલને કોઇ પણ અદાલત, ટ્રિબ્યુનલ અથવા સત્તાધિકારીની સમક્ષ કોઇ પણ એવી સંગઠન અથવા સંસ્થા જેમના તેઓ સભ્ય છે તેના માટેઅથવા તેમની વિરૂહાજર થવા પર પ્રતિબંધ છે :
(A) પેટા-સમિતિ
(B) સામાન્ય બોડી
(C) કાર્યકારી સમિતિ
(D) સલાહકાર સમિતિ
Answer (B) General Body
કારણ: BCI Rule 8 મુજબ વકીલ જે સંસ્થાનો General Body Member હોય તેના માટે અથવા વિરુદ્ધ હાજર રહી શકતો નથી.
Question 47 : ઇલેક્ટ્રોનિક પુરાવાની પ્રામાણિકતાની ખરાઇ કરવા માટેનાં પ્રમાણપત્રને સંબંધિતનીચેનામાંથી ક્યો વિકલ્પ ભારતીય સાક્ષ્ય અધિનિયમ, 2023ની સેક્શન 63(4)માં જણાવ્યો નથી ?
(A) નિષ્ણાતની લાયકાત.
(B) કમ્પ્યુટર અથવા સંચાર ઉપકરણના પ્રભારી વ્યક્તિ અને નિષ્ણાત બંનેની સહી, અધિનિયમનાં શિડ્યુલમાં નિર્ધારિત
ફોર્મેટનું પાલન કરતા પ્રમાણપત્ર સાથે.|
(C) શિડ્યુલ માંસ્પષ્ટ કરેલ ફોર્મ અનુસાર ઇલેક્ટ્રોનિક પુરાવો ‘હેશ વેલ્યુ` સાથે હોવો જોઇએ.
(D) ઉપરમાંથી એક પણ નહીં
Answer (A) Qualification of an Expert
કારણ: BSA Section 63(4) માં નિષ્ણાતની લાયકાત અંગે ખાસ જોગવાઈ નથી, જ્યારે અન્ય બાબતો પ્રમાણપત્રના ભાગરૂપે આવરી લેવામાં આવી છે.
Question 48 : ઇન્ફોર્મેશન ટેકનોલોજી અધિનિયમ, 2000 કમ્પ્યુટર સંસાધનોના દુરુપયોગના કિસ્સામાં સિવિલ જવાબદારી અને ફોજદારી।
જવાબદારી વચ્ચે ભેદ કરે છે. નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં આવી વર્તણક માટે માત્ર વળતરને બદલે ફોજદારી સજા મળશે ?
(A) જ્યારેકમ્પ્યુટર સંસાધનોને થયેલુંનુકસાન નિર્ધારિત નાણાકીય મર્યાદાથી વધીજાય
(B) જ્યારે કૃત્ય અનધિકૃત્ત એક્સેસ ઉપરાંત અપ્રામાણિકતાથી અથવા છેતરપિંડીયુક્ત થયેલું હોય
(C) ઇરાદો ભલે ગમે તે હોય, કમ્પ્યુટર સિસ્ટમનો મંજૂરી વિના એકસ કરવામાં આવે
(D) જ્યારે અસરગ્રસ્ત પક્ષ ફોજદારી કાર્યવાહી શરૂકરવાનું પસંદ કરે છે|
Answer (B) જ્યારે કૃત્ય અનધિકૃત્ત એક્સેસ ઉપરાંત અપ્રામાણિકતાથી અથવા છેતરપિંડીયુક્ત થયેલું હોય
કારણ: IT Act હેઠળ માત્ર અનધિકૃત પ્રવેશથી સિવિલ જવાબદારી થાય છે, પરંતુ જો કૃત્ય dishonest અથવા fraudulent હોય તો ફોજદારી જવાબદારી ઊભી થાય છે.
Question 49 : 80 વરસ ની ઉંમર ધરાવતા A એ એ શરત સાથે જામીન ના એક ટુકડા ને ટ્રસ્ટને ટ્રાન્સફર કરતી રજિસ્ટર્ડ ડીડ કરે છે, કે “સંપત્તિ X ગામના રહેવાસીઓ માટે કોઈપણ સમયે જાહેર પુસ્તકાલય અને વાંચન માટે ઉપયોગમાં લેવામાં આવશે .નીચેનામાંથી કયું નિવેદન કાયદામાં સૌથી સચોટ છે?
(A) ટ્રાન્સફર રદબાતલ થાય છે.કારણ કે તે શાશ્વતતા વિરુદ્ધ, નિયમોનું અને સંચચની શરતનું મંજૂર કરેલી મર્યાદાઓથી વધુ ઉલ્લંધન કરે છે.
(B) ટ્રાન્સફર માન્ય છે, કારણ કે તે જાહેર લાભ માટે અપવાદની અંદર આવે છે. પરંતુ સંચયની ક્લૉઝ કાયદેસર મર્યાદાઓથી વધુ હદ સુધી રદબાતલથાય છે.
(C) ટ્રાન્સફર સમગ્રપણે માન્ય છે, જેમાં સંચયની ક્લૉઝ સામેલ છે, કારણકે જાહેર ઉદ્દેશો માટે ટ્રાન્સફર્સ શાશ્વતતા
સંબંધિત તમામ નિયંત્રણોથી સંપૂર્ણપણે મુક્ત છે.
(D) સમગ્ર ટ્રાન્સફર રદબાતલ થાય છે, કારણકે રિવર્ઝનરી ક્લૉઝ અનિશ્ચિતતા સર્જે છેઅને જાહેર નીતિનું ઉલ્લંઘન કરે છે.
Answer (B)
કારણ: જાહેર હિત (Public Benefit) માટેનો ટ્રાન્સફર Rule Against Perpetuity ના અપવાદમાં આવે છે, પરંતુ 50 વર્ષની Accumulation Clause કાનૂની મર્યાદાથી વધુ હોય તો તે હદ સુધી અમાન્ય બને છે.
Question 50 : મોટર વાહન અધિનિયમ, 1988 હેઠળ તમામ નવા વાહનો માટે હાઇ સિક્યોરિટિ રજિસ્ટ્રેશન પ્લેટ (HSRP)નું ફરજિયાત પ્રિ-ફિટમેન્ટ કયા વર્ષથી લાગુ થયું હતું ?|
(A) 2018
(B) 2019
(C) 2024
(D) 2023
Answer (B) 2019
કારણ: તમામ નવા વાહનો માટે HSRP (High Security Registration Plate) નું ફરજિયાત પ્રી-ફિટમેન્ટ 2019 થી અમલમાં આવ્યું.
Question 51 : સિવિલ પ્રક્રિયા સંહિતા, 1908 દ્વારા સંચાલિત કાર્યવાહીઓના અમલમાં, જ્યયાંચૂકાદા–દેવાદારની સંપત્તિએટેય કરવામાં આવે છે અને ત્રાહિત પક્ષ સ્વતંત્ર હકનો દાવો રજૂ કરે છે, આવા દાવા માટેઃ
(A) અલગ સિવિલ મુકદમો દાખલ કરીને નિર્ણય લેવો આવશ્યક છે.
(B) હુકમનામું પસાર કરનાર અદાલત દ્વારા પૂર્વ-નિર્ણયની આવશ્યકતા હોય છે.
(C) બજવણીની પ્રક્રિયા પૂર્ણ થયા પછી જ નિર્ણય લઈ શકાય છે.
(D) બજવણી કરતી અદાલત દ્વારા નિર્ણય લેવામાંઆવશે.
Answer (D)
કારણ: CPC Order XXI Rules 58 વગેરે મુજબ જપ્ત થયેલી મિલકત અંગે તૃતીય પક્ષનો દાવો અલગ દાવો દાખલ કર્યા વગર Execution Court જ નક્કી કરે છે.
Question 52 : જો કોઇ જમીન માલિક બિલ્ડર સાથે સંયુક્ત વિકાસ કરાર કરે છે, વિકસિત સંપત્તિના 5 % અને નાણાં જમા કરવાના।
બદલામાં જમીનનું યોગદાન આપે છે, તો શું તેઓ બાંધકામમાં ખામીઓ અને વિલંબનો આક્ષેપ કરીને ગ્રાહક સુરક્ષા।
અધિનિયમ, 2019 હેઠળ ફરિયાદ દાખલ કરી શકે છે? નીચેનામાંથી કયો વિકલ્પ સૌથી ચોક્કસ છે ?
(A) જમીન માલિક એક ગ્રાહક છે, જ્યાં સુધી નફાનો ઉદ્દેશ સાબિત ન થાય ત્યાં સુધી.
(B) જમીન માલિક ગ્રાહક નથી, કારણ કેવ્યવહાર સંયુક્ત વાણિજ્ય સાહસ બનાવે છે.
(C) જમીન માલિક એક ગ્રાહક છે, કારણ કે તેમણે જાતે બાંધકામ કર્યું નહોતું.
(D) જો ખામી હોય તો જમીન માલિક એક ગ્રાહક છે, ભલે પછી વ્યવહારની પ્રકૃત્તિ ગમે તે હોય.
Answer (A)
કારણ: Joint Development Agreement માં જમીનમાલિક સામાન્ય રીતે Consumer ગણાય છે, જ્યાં સુધી તે નફાખોરીના વ્યાપારી સાહસ (Commercial Venture) નો ભાગ હોવાનું સાબિત ન થાય.
Question 53 :ભારતની સર્વોચ્ચ અદાલતે હરીશ ચંદ્ર તિવારી વિરુદ્ધ બૈજુ, (2002) 2 SCC 67 માં, વકીલ દ્વારા ક્લાયન્ટના નાણાંના દુરુપયોગ માટે યોગ્ય સજાનો વિચાર કરતી વખતે, ઠરાવ્યું કે:
(A) પહેલી વાર ગેરરીતિ કરવા બદલ ઠપકો એ યોગ્ય સજા છે, કારણ કે યાદીમાંથી દૂર કરવું એ અપ્રમાણસર હશે.
(B) ક્લાયન્ટના નાણાંનો દુરુપયોગ એ વ્યાવસાયિક ગેરરીતિના સૌથી ગંભીર સ્વરૂપોમાંનું એક છે અને સામાન્ય રીતે રાજ્ય યાદીમાંથી વકીલનું નામ દૂર કરવાની વોરંટ આપે છે.
(C) કાયદા હેઠળ ગેરરીતિ કરેલી રકમના બમણા જેટલો નાણાકીય દંડ યોગ્ય સજા છે.
(D) પાંચ વર્ષ માટે પ્રેક્ટિસમાંથી સસ્પેન્ડ કરવું એ ક્લાયન્ટના ભંડોળના દુરુપયોગ માટે પ્રમાણભૂત સજા છે.
Answer (B)
કારણ: Harish Chandra Tiwari v. Baiju (2002) માં સુપ્રીમ કોર્ટે કહ્યું કે ક્લાયન્ટના નાણાંનો દુરુપયોગ વ્યાવસાયિક ગેરવર્તનનું અત્યંત ગંભીર સ્વરૂપ છે અને સામાન્ય રીતે State Roll માંથી નામ દૂર કરવાની સજા યોગ્ય છે.
Question 54 : મધ્યસ્થી અને સમાધાનઅધિનિયમ, 1996ના સેકન 20 અનુસાર, જ્યાં પક્ષો આર્બિટ્રેશન (મધ્યસ્થી) સ્થળ પર સંમત્ત થતા નથી, ત્યાં આર્બિટ્રલ ટ્રિબ્યુનલ નીચેની બાબતને ધ્યાનમાં રાખીને નિર્ણય કરશેઃ
(A) કેસના સંજોગો, પક્ષોની સુવિધા સહિત.
(B) તકરારની વિષયવસ્તુનાં સ્થળ.
(C) માત્ર સિવિલ કોર્ટનાંન્યાયક્ષેત્ર
(D) કરાર જયાં અમલમાં આવ્યો હોય તે સ્થળ.
Answer (A)
કારણ: Arbitration and Conciliation Act, 1996 ની કલમ 20 મુજબ પક્ષકારો સંમત ન થાય તો Arbitral Tribunal કેસની પરિસ્થિતિઓ અને પક્ષકારોની સુવિધા ધ્યાનમાં રાખીને સ્થળ નક્કી કરે છે.
Question 55 : પેટન્ટ્સ પેટન્ટ ધારકના અધિનિયમ, 1970 હેઠળ પેટન્ટ ભારતમાં એક શોધકને આપવામાં આવે છે.
નીયેનામાંથી કયો વિકલ્પ કાયદા હેઠળ અધિકારો પર મર્યાદાઓને યોગ્ય રીતે પ્રતિબિંબિત કરે છે?
(A) જો સરકારી સત્તાધિકારી દ્વારા ઉપયોગ કરવામાં આવે તો પેટન્ટ રદબાતલ થાય છે
(B) એક વખત શોધનો ઉપયોગ સરકાર દ્વારા કરવામાં આવે ત્યાર પછી પેટન્ટધારક તમામ અધિકારો ગુમાવે છે|
(C) સરકાર પેટન્ટ ધારકની સંમત્તિ વિના તેના પોતાના ઉદ્દેશો માટે શોધનો ઉપયોગ કરી શકે છે
(D) મંજૂરી વિના સરકાર દ્વારા શોધનો ઉપયોગ કરી શકાય નહીં.
Answer (C)
કારણ: Patents Act હેઠળ Government Use Doctrine મુજબ સરકાર પેટન્ટ ધારકની પૂર્વ સંમતિ વિના જાહેર હિત માટે શોધનો ઉપયોગ કરી શકે છે.
Question 56 : નીચેના નિવેદનો વાંચો તથા મધ્યસ્થી અને સમાધાન અધિનિયમ, 1996ને ધ્યાનમાં રાખીને યોગ્ય વિકલ્પ પસંદ કરો.
આર્બિટ્રલ ટ્રિબ્યુનલનાં અધિકારક્ષેત્રને સંબંધિત તકરાર ઉદ્દવે છે.
નિવેદન 1: આર્બિટ્રલ ટ્રિબ્યુનલ તેના પોતાના ન્યાયક્ષેત્ર પર ચુકાદો આપી શકે છે.
નિવેદન 2: ટ્રિબ્યુનલ પાસે ન્યાયક્ષેત્રનો અભાવ છે એવી દલીલ બચાવનાં નિવેદનને રજૂ કર્યા પછી ઉઠાવવામાં આવશે. સિવાય કે આર્બિટ્રલ ટ્રિબ્યુનલ પછીથી દલીલ કરવાની મંજૂરી ન આપે.
(A) બંને નિવેદન I અને II સાચા છે।
(B) માત્ર નિવેદન I સાચું છે|
(C) નિવેદન I કે નિવેદન II સાચા નથી
(D) માત્ર નિવેદન II સાચું છે.
Answer (A)
કારણ: Arbitration Act ની કલમ 16 અનુસાર Tribunal પોતાનું ક્ષેત્રાધિકાર નક્કી કરી શકે છે અને ક્ષેત્રાધિકાર અંગેની આપત્તિ સામાન્ય રીતે Statement of Defence પહેલાં ઉઠાવવી પડે.
Question 57 : ભારતીય દંડ સંહિતા (IPC), 1860 ની કલમ 120A હેઠળ વ્યાખ્યાયિત ‘ગુનાહિત કાવતરું’ ના ગુના અંગે, નીચેનામાંથી કયું વિધાન કાયદેસર રીતે સાચું છે?
(A) તે એક વાસ્તવિક ગુનો છે જે અન્ય વાસ્તવિક ગુનાઓ સાથે મળીને આરોપ લગાવવાથી કાયદેસર રીતે પ્રતિબંધિત છે.
(B) જો ઇચ્છિત ગુનો મૃત્યુદંડ અથવા સખત કેદની સજાપાત્ર હોય તો પક્ષકારો વચ્ચેનો ફક્ત કરાર ગુનો બનાવવા માટે પૂરતો છે.
(C) કાનૂની વ્યાખ્યાને સંતોષવા માટે ઓછામાં ઓછા પાંચ વ્યક્તિઓએ ભાગ લેવો આવશ્યક છે.
(D) એકલા વ્યક્તિનો ગુનો કરવાનો ફક્ત ઇરાદો, અન્ય લોકો સાથે કરાર વિના પણ, દોષિત ઠેરવવા માટે પૂરતો છે.
Answer (B)
કારણ: IPC કલમ 120A મુજબ જો ષડયંત્રનો ઉદ્દેશ મૃત્યુદંડ, આજીવન કેદ અથવા કઠોર કેદને પાત્ર ગુનો કરવાનો હોય તો માત્ર કરાર (agreement) જ ગુનો સાબિત કરવા પૂરતો છે.
Question 58 : ભારતીય દંડ સંહિતા (IPC), 1860 ની કલમ 378 માં આપવામાં આવેલી વ્યાખ્યા અનુસાર, નીચેનામાંથી કયું ‘ચોરી’ ના ગુનાનું આવશ્યક તત્વ છે?
(A) વ્યક્તિના કબજામાંથી જંગમ મિલકતની તેમની સંમતિ વિના હિલચાલ
(B) મિલકતને ફક્ત જાહેર સ્થળેથી દૂર કરવાની જરૂરિયાત
(C) માલિકની સંમતિ વિના સ્થાવર મિલકતની અનધિકૃત હિલચાલ
(D) વ્યક્તિ સામે શારીરિક બળ અથવા ગુનાહિત હિંસાનો ઉપયોગ.
Answer (A)
કારણ: IPC કલમ 378 મુજબ ચોરીનું મુખ્ય તત્વ એ છે કે કોઈ વ્યક્તિની કબજામાં રહેલી ચલ મિલકત તેની સંમતિ વિના ખસેડવામાં આવે.
Question 59 : ક્રિમિનલ પ્રોસિજર કોડ (CrPC), 1973 હેઠળ, કઈ ચોક્કસ જોગવાઈ ‘જામીનપાત્ર ગુના’ માટે કાનૂની વ્યાખ્યા પૂરી પાડે છે?
(A) કલમ 2(h)
(B) કલમ 2(c)
(C) કલમ 2(x)
(D) કલમ 2(a)
Answer (B)
કારણ: CrPC કલમ 2(a) “Bailable Offence” ની વ્યાખ્યા આપે છે.
Question 60 : નીચેના પ્રશ્નમાં, એક નિવેદન પછી બે નિષ્કર્ષ, I અને II આવે છે.
નિવેદન: લઘુત્તમ વેતન અધિનિયમ, 1948 ની કલમ 5 કોઈપણ અનુસૂચિત રોજગારના સંદર્ભમાં લઘુત્તમ વેતન નક્કી કરવા અથવા સુધારવા માટેની વિગતવાર પ્રક્રિયા આપે છે. નિયુક્ત સમિતિઓની સલાહ અને ગેઝેટ સૂચનામાં સૂચિત તારીખ પહેલાં તેના દ્વારા પ્રાપ્ત થયેલ તમામ રજૂઆતોને ધ્યાનમાં લીધા પછી, યોગ્ય સરકાર સત્તાવાર ગેઝેટમાં સૂચના દ્વારા, વેતનના લઘુત્તમ દર નક્કી કરવા અથવા સુધારવા માટે સક્ષમ હશે.
નિષ્કર્ષ I: જો સૂચનામાં તારીખ ઉલ્લેખિત હોય, તો લઘુત્તમ દરો તે તારીખથી અમલમાં આવશે.
નિષ્કર્ષ II: જો કોઈ તારીખ ઉલ્લેખિત ન હોય, તો તે સૂચના જારી થયાની તારીખથી ત્રણ મહિનાની સમાપ્તિથી અમલમાં આવશે.
ઉપરોક્ત નિવેદન અને નિષ્કર્ષોના સંદર્ભમાં, નીચેનામાંથી કયું સાચું છે?
(A) ફક્ત નિષ્કર્ષ II અનુસરે છે
(B) બંને નિષ્કર્ષ I અને II અનુસરે છે
(C) ન તો નિષ્કર્ષ I કે ન તો II અનુસરે છે
(D) ફક્ત નિષ્કર્ષ I અનુસરે છે.
Answer (B)
કારણ: Minimum Wages Act, 1948 ની કલમ 5 મુજબ:
નિષ્કર્ષ I સાચું છે — નોટિફિકેશનમાં તારીખ હોય તો તે તારીખથી અમલ.
નિષ્કર્ષ II પણ સાચું છે — તારીખ ન હોય તો નોટિફિકેશન પ્રકાશિત થયાની તારીખથી 3 મહિના પછી અમલ.
એટલે બંને નિષ્કર્ષ અનુસરે છે.
Question 61 : ભારતના બંધારણના અનુચ્છેદ 23 ના કાર્યક્ષેત્રને વિસ્તૃત કરનાર સીમાચિહ્નરૂપ કેસ કયો છે?
(A) PUDR વિરુદ્ધ ભારત સંઘ, (1982) 3 SCC 235
(B) વિશાખા વિરુદ્ધ રાજસ્થાન રાજ્ય, (1997) 6 SCC 241
(C) એમ.સી. મહેતા વિરુદ્ધ તમિલનાડુ રાજ્ય, (1996) 6 SCC 756
(D) ગ્લેક્સો લેબોરેટરીઝ વિરુદ્ધ પ્રિસાઇડિંગ ઓફિસર, લેબર કોર્ટ, મેરઠ, (1984) 1 SCC 1
Answer (A)
કારણ: People’s Union for Democratic Rights (PUDR) v. Union of India (1982) કેસમાં Article 23 (Forced Labour) નો વ્યાપ વિસ્તૃત કરવામાં આવ્યો હતો અને Minimum Wages કરતાં ઓછું વેતન પણ બળજબરી મજૂરી ગણાઈ શકે એવું નક્કી થયું હતું.
Question 62 : ખાસ લગ્ન અધિનિયમ, ૧૯૫૪ હેઠળ, કેમેરાની અંદર કાર્યવાહી સંબંધિત જોગવાઈઓનું ઉલ્લંઘન કરતી બાબત છાપવા અથવા પ્રકાશિત કરવા બદલ મહત્તમ કેટલો દંડ લાદવામાં આવી શકે છે?
(A) પાંચસો રૂપિયા સુધીનો દંડ
(B) એક હજાર રૂપિયા સુધીનો દંડ
(C) પાંચ હજાર રૂપિયા સુધીનો દંડ
(D) બે હજાર રૂપિયા સુધીનો દંડ
Answer: (A) Fine up to five hundred rupees
સમજૂતી:
Special Marriage Act ની કલમ 22 મુજબ in-camera કાર્યવાહી સંબંધિત પ્રતિબંધિત બાબતો પ્રકાશિત કરવા બદલ મહત્તમ ₹500 સુધીનો દંડ થઈ શકે છે.
Question 63 : “કુદરતી ન્યાયના નિયમો અર્ધ-ન્યાયિક કાર્યોની પ્રવર્તમાન વ્યાખ્યાના સાંકડા પરિસર સુધી મર્યાદિત નહોતા.” આ સિદ્ધાંત કયા કિસ્સામાં નિર્ધારિત કરવામાં આવ્યો હતો?
(A) રિજ વિ. બાલ્ડવિન (1964) એ.સી. 40
(B) કોનવે વિ. રિમર (1968) એ.સી. 910
(C) મારાદાના મસ્જિદ ટ્રસ્ટીઓ વિ. મહમૂદ (1967) (1) એ.સી. 13
(D) એ.કે. ક્રેપક વિ. યુનિયન ઓફ ઈન્ડિયા AIR 1970 SC 150
- Answer : (D) A.K. Kraipak v. Union of India
સમજૂતી:
A.K. Kraipak કેસમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે કુદરતી ન્યાયના નિયમો માત્ર quasi-judicial કાર્યવાહી પૂરતા મર્યાદિત નથી.
Question 64 : હિન્દુ દત્તક અને ભરણપોષણ અધિનિયમ, ૧૯૫૬ હેઠળ, કઈ પરિસ્થિતિમાં દત્તક લેવા માટે પત્નીની સંમતિ બિનજરૂરી બને છે?
(A) તેણી વ્યક્તિગત મતભેદને કારણે સંમતિનો ઇનકાર કરે છે.
(B) ધર્માંતરણ દ્વારા તેણી હિન્દુ રહી નથી.
(C) તે કાનૂની રીતે અલગ થયા વિના અલગ રહે છે.
(D) ઉપરોક્તમાંથી કોઈ નહીં.
Answer: (B) ધર્માંતરણ દ્વારા તેણી હિન્દુ રહી નથી.
સમજૂતી:
કલમ 7 મુજબ પત્ની હિન્દુ ન રહી હોય (ધર્મપરિવર્તન કર્યું હોય) તો દત્તક લેવા માટે તેની સંમતિ જરૂરી નથી.
Question 65 : આવકવેરા અધિનિયમ, ૧૯૬૧ ની કલમ ૫૬(૨)(x) મુજબ, જો કોઈ વ્યક્તિ તેના સંબંધી સિવાય અન્ય કોઈ વ્યક્તિ પાસેથી કોઈ પણ પ્રકારની રકમ, અવેજ વિના, મેળવે છે, અને તે રકમ નિર્ધારિત મર્યાદા કરતાં વધી જાય છે, તો યોગ્ય કાનૂની સ્થિતિ શું છે?
(A) તે સંપૂર્ણપણે કરમુક્ત છે.
(B) તે ફક્ત રોકડમાં પ્રાપ્ત થાય તો જ કરપાત્ર છે.
(C) તે ‘અન્ય સ્ત્રોતોમાંથી આવક’ શીર્ષક હેઠળ કરપાત્ર છે.
(D) તેને મૂડી રસીદ તરીકે ગણવામાં આવે છે અને તે કરપાત્ર નથી.
Answer : (C) તે ‘અન્ય સ્ત્રોતોમાંથી આવક’ શીર્ષક હેઠળ કરપાત્ર છે.
સમજૂતી:
સંબંધી સિવાયની વ્યક્તિ પાસેથી નિર્ધારિત મર્યાદા કરતાં વધુ રકમ ભેટરૂપે મળે તો તે “Income from Other Sources” તરીકે કરપાત્ર બને છે.
Question 66 : ભારતના બંધારણ હેઠળ, સંસદ આંતરરાષ્ટ્રીય પર્યાવરણીય કરાર હેઠળ ભારતની જવાબદારીઓને અમલમાં મૂકવા માટે કાયદો ઘડે છે. આ વિષય સામાન્ય રીતે રાજ્ય યાદીમાં આવે છે અને કલમ 252 હેઠળ કોઈ ઠરાવ પસાર કરવામાં આવ્યો નથી. સંસદની યોગ્યતાનો સ્ત્રોત આ હશે:
(A) કલમ 249
(B) કલમ 252
(C) કલમ 250
(D) કલમ 253
Answer : (D) Article 253
સમજૂતી:
આર્ટિકલ 253 સંસદને આંતરરાષ્ટ્રીય કરાર અને સંધિઓ અમલમાં મૂકવા માટે કાયદો બનાવવાની સત્તા આપે છે, ભલે વિષય રાજ્ય યાદીમાં હોય.
Question 67 : ભારતમાં બંધારણીય ન્યાયશાસ્ત્ર હેઠળ, વિધાનસભા સમક્ષ રજૂ કર્યા વિના વારંવાર વટહુકમો જાહેર કરવાને સુપ્રીમ કોર્ટે કયા નિર્ણયમાં “બંધારણ પર છેતરપિંડી” ગણાવી હતી?
(A) ડી.સી. વાધવા વિરુદ્ધ બિહાર રાજ્ય, AIR 1987 SC 579
(B) આર.સી. કૂપર વિરુદ્ધ ભારત સંઘ, AIR 1970 SC 564
(C) કૃષ્ણ કુમાર સિંહ વિરુદ્ધ બિહાર રાજ્ય, (2017) 3 SCC 1
(D) શમશેર સિંહ વિરુદ્ધ પંજાબ રાજ્ય, AIR 1974 SC 2192
Answer : (A) D.C. Wadhwa v. State of Bihar
સમજૂતી:
આ કેસમાં સુપ્રીમ કોર્ટે વારંવાર વટહુકમો જારી કરવાની પ્રથાને “Fraud on the Constitution” ગણાવી હતી.
Question 68 : નીચેનામાંથી કયું “ઔદ્યોગિક સંબંધો સંહિતા, 2020” માં સમાવિષ્ટ નથી?
(A) ઔદ્યોગિક રોજગાર (સ્થાયી આદેશો) અધિનિયમ, 1946
(B) ઉદ્યોગો (વિકાસ અને નિયમન) અધિનિયમ, 1951 (IDR અધિનિયમ)
(C) ટ્રેડ યુનિયનો અધિનિયમ, 1926
(D) ઔદ્યોગિક વિવાદ અધિનિયમ, 1947
Answer : (B) Industries (Development and Regulation) Act, 1951
સમજૂતી:
Industrial Relations Code, 2020 એ Trade Unions Act, 1926, Industrial Employment (Standing Orders) Act, 1946 અને Industrial Disputes Act, 1947 ને સમાવી લે છે. IDR Act તેમાં સામેલ નથી.
Question 69 : ભારતમાં સંબંધિત કાયદા હેઠળ જમીન સંપાદન સંબંધિત કાયદા હેઠળ, નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?
(A) પ્રશ્નમાં રહેલી જમીનમાં રસ ધરાવતા તમામ વ્યક્તિઓએ કલેક્ટર સમક્ષ વ્યક્તિગત રીતે હાજર રહેવું પડશે.
(B) કલેક્ટર તેમની વેબસાઇટ પર જાહેર સૂચના પ્રકાશિત કરશે.
(C) આવા રસ ધરાવતા વ્યક્તિઓ નોટિસ જારી થયાના 6 મહિનાની અંદર વાંધો નોંધાવી શકે છે.
(D) રસ ધરાવતા તમામ વ્યક્તિઓને ઓછામાં ઓછો 30 દિવસનો નોટિસ સમયગાળો આપવો પડશે.
Answer : (A) All persons interested in the land shall appear personally before the Collector
સમજૂતી:
જમીનમાં રસ ધરાવતા તમામ લોકો માટે વ્યક્તિગત રીતે હાજર રહેવું ફરજિયાત નથી. તેઓ પ્રતિનિધિ દ્વારા પણ રજૂઆત કરી શકે છે. તેથી આ નિવેદન ખોટું છે.
Question 70 : ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS), 2023, કઈ ચોક્કસ તારીખે સત્તાવાર રીતે અમલમાં આવી, જે ફોજદારી કાર્યવાહી સંહિતા, 1973 ને બદલે છે?
(A) 1 જુલાઈ, 2024
(B) 1 જાન્યુઆરી, 2024
(C) 15 ઓગસ્ટ, 2023
(D) 25 ડિસેમ્બર, 2023
Answer : (A) July 1, 2024
સમજૂતી:
ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS), 2023 સત્તાવાર રીતે 1 જુલાઈ 2024થી અમલમાં આવી.
Question 71 : ભારતના બંધારણના સંદર્ભમાં, પેન્શન યોજના ચોક્કસ કટ-ઓફ તારીખ પહેલાં અને પછી નિવૃત્ત થતા કર્મચારીઓ વચ્ચે તફાવત કરે છે. બાકાત રાખવામાં આવેલા લોકો વર્ગીકરણને મનસ્વી તરીકે પડકારે છે. બંધારણીય મુદ્દો મુખ્યત્વે આ મુદ્દાઓને આકર્ષિત કરશે:
(A) ગ્રહણનો સિદ્ધાંત
(B) કલમ 14 અને વર્ગીકરણનો સિદ્ધાંત
(C) વિભાજનનો સિદ્ધાંત
(D) રાજ્યની કાયદાકીય યોગ્યતા
Answer : (B) Article 14 and the principle of classification
સમજૂતી:
કટ-ઓફ તારીખના આધારે થયેલ વર્ગીકરણ વાજબી છે કે મનસ્વી છે તેની તપાસ Article 14 હેઠળ કરવામાં આવે છે.
Question 72 : “વહીવટી કાયદો એ વહીવટી એજન્સીઓની સત્તાઓ અને પ્રક્રિયાઓને લગતો કાયદો છે, ખાસ કરીને વહીવટી કાર્યવાહીની ન્યાયિક સમીક્ષાને નિયંત્રિત કરતો કાયદો.” આ વ્યાખ્યા આ દ્વારા આપવામાં આવી હતી:
(A) કે.સી. ડેવિસ
(B) એચ.ડબલ્યુ.આર. વેડ
(C) એ.વી. ડાયસી
(D) આઇવર જેનિંગ્સ
Answer : (A) K.C. Davis
સમજૂતી:
Administrative Law અંગેની આપેલી વ્યાખ્યા પ્રખ્યાત વિદ્વાન K.C. Davis દ્વારા આપવામાં આવી હતી.
Question 73 : નીચેના પ્રશ્નમાં, એક નિવેદન પછી બે નિષ્કર્ષ, I અને II આવે છે.
વિધાન: લઘુમતી શેરધારકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે ABC ના પ્રમોટર્સે વૈકલ્પિક કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર અને રિડીમેબલ પ્રેફરન્સ શેર ABC ના પ્રમોટર્સ દ્વારા નિયંત્રિત ટ્રસ્ટને તેમના વાજબી બજાર મૂલ્ય કરતાં નોંધપાત્ર રીતે ઓછા ભાવે વેચ્યા હતા, જેના કારણે ABC અને તેના શેરધારકોને નાણાકીય નુકસાન થયું હતું. કાયદા હેઠળ લઘુમતી શેરધારકો માટે શું ઉપાય છે?
નિષ્કર્ષ I: લઘુમતી શેરધારકો કંપની અધિનિયમ, 2013 ની કલમ 245 હેઠળ વર્ગ કાર્યવાહી માટે અરજી કરી શકે છે, જેમાં NCLT પાસેથી વૈકલ્પિક કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર અને રિડીમેબલ પ્રેફરન્સ શેરના વેચાણને ઉલટાવી દેવા અથવા લઘુમતી શેરધારકોને વળતર આપવા માટે નિર્દેશો માંગવામાં આવે છે.
નિષ્કર્ષ II: પીડિત સભ્યો કંપની અધિનિયમ, 2013 ની કલમ 241 હેઠળ જુલમ અથવા ગેરવહીવટના કૃત્યો સામે તેમના અધિકારોનું રક્ષણ કરવા માટે વ્યક્તિગત રીતે આગળ વધી શકે છે.
ઉપરોક્ત નિવેદન અને નિષ્કર્ષના સંદર્ભમાં, નીચેનામાંથી કયું સાચું છે?
(A) ફક્ત નિષ્કર્ષ I અનુસરે છે
(B) નિષ્કર્ષ I કે II બંને અનુસરતા નથી
(C) ફક્ત નિષ્કર્ષ II અનુસરે છે
(D) બંને નિષ્કર્ષ I અને II અનુસરે છે.
સાચો જવાબ: (D) બંને નિષ્કર્ષ I અને II અનુસરે છે.
સમજૂતી:
કલમ 245 હેઠળ Class Action અરજી કરી શકાય છે. ઉપરાંત કલમ 241 હેઠળ Oppression and Mismanagement સામે કાર્યવાહી પણ થઈ શકે છે. તેથી બંને નિષ્કર્ષ યોગ્ય છે.
Question 74 : દિશા નિર્દેશો: નીચેના પ્રશ્નમાં બે વિધાનોનો સમાવેશ થાય છે, એક વિધાન (A) તરીકે લેબલ થયેલ છે અને બીજાને કારણ (R) તરીકે લેબલ થયેલ છે. તમારે આ બે વિધાનોની કાળજીપૂર્વક તપાસ કરવી પડશે અને નક્કી કરવું પડશે કે શું વિધાન (A) અને કારણ (R) વ્યક્તિગત રીતે સાચા છે અને જો એમ હોય, તો શું કારણ (R) વિધાન (A) ની સાચી સમજૂતી છે.
વિધાન (A): જો પ્રતિવાદી કોર્ટને ખાતરી આપે કે જ્યારે દાવો સુનાવણી માટે બોલાવવામાં આવ્યો હતો ત્યારે તેને પૂરતા કારણોસર હાજર થવાથી અટકાવવામાં આવ્યો હતો, તો એક તરફી હુકમનામું રદ કરી શકાય છે.
કારણ (R): સિવિલ પ્રોસિજર કોડ, 1908 ના ઓર્ડર IX નિયમ 13 હેઠળ, કોર્ટને ખાતરી હોવી જોઈએ કે સમન્સ યોગ્ય રીતે બજાવવામાં આવ્યું ન હતું અથવા જ્યારે દાવો સુનાવણી માટે બોલાવવામાં આવ્યો હતો ત્યારે પ્રતિવાદીને પૂરતા કારણોસર હાજર થવાથી અટકાવવામાં આવ્યો હતો.
તમારા જવાબને આ રીતે ચિહ્નિત કરો:
(A) બંને (A) અને (R) સાચા છે, પરંતુ (R) (A) ની સાચી સમજૂતી નથી.
(B) (A) ખોટું છે, પણ (R) સાચું છે.
(C) (A) અને (R) બંને સાચા છે અને (R) એ (A) ની સાચી સમજૂતી છે.
(D) (A) સાચું છે, પણ (R) ખોટું છે.
સાચો જવાબ: (C) (A) અને (R) બંને સાચા છે અને (R) એ (A) ની સાચી સમજૂતી છે.
સમજૂતી:
Assertion સાચું છે. પૂરતા કારણસર પ્રતિવાદી હાજર રહી શક્યો ન હોય તો ex parte decree રદ થઈ શકે છે.
Reason પણ સાચું છે અને Order IX Rule 13 ની જોગવાઈનું સીધું વર્ણન કરે છે. તેથી Reason, Assertion ની યોગ્ય સમજૂતી છે.
Question 75 : ગ્રાહક સુરક્ષા અધિનિયમ, 2019 મુજબ, એકતરફી કરારો શું છે?
(A) એકપક્ષીય કરારો
(B) અર્ધ-કરાર
(C) ગેરવાજબી
(D) અન્યાયી વેપાર પ્રથાઓ
સાચો જવાબ: (C) Unconscionable – ગેરવાજબી
સમજૂતી:
એકતરફી (one-sided) કરારોને Consumer Protection Act હેઠળ Unconscionable Contract તરીકે ઓળખવામાં આવે છે.
Question 76 : ભારતીય ખ્રિસ્તી લગ્ન અધિનિયમ, ૧૮૭૨ હેઠળ, લગ્ન સામાન્ય રીતે કયા કલાકો વચ્ચે થવા જોઈએ?
(A) સવારે છ વાગ્યાથી સાંજે નવ વાગ્યા સુધી
(B) સવારે સાત વાગ્યાથી સાંજે આઠ વાગ્યા સુધી
(C) સવારે છ વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધી
(D) સવારે પાંચ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી
- સાચો જવાબ: (C) સવારે છ વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધી
સમજૂતી:
સામાન્ય નિયમ મુજબ ખ્રિસ્તી લગ્ન સવારે 6 વાગ્યાથી સાંજે 7 વાગ્યા વચ્ચે solemnize થવા જોઈએ.
Question 77 : સિવિલ પ્રોસિજર કોડ, ૧૯૦૮ હેઠળ દાવા પાછા ખેંચવા અને છોડી દેવાના સંદર્ભમાં નીચેનામાંથી કયા વિધાન સાચા છે?
I. વાદી કાયદાની જોગવાઈઓને આધીન દાવો પાછો ખેંચી શકે છે અથવા છોડી શકે છે.
II. કાર્યવાહીના સમાન કારણ પર નવો દાવો દાખલ કરવા માટે કોર્ટની પરવાનગીની જરૂર છે.
III. નવો દાવો દાખલ કરવા માટે કોર્ટની પરવાનગી વિના દાવો પાછો ખેંચવાથી કાર્યવાહીના સમાન કારણ પર અનુગામી દાવો પર પ્રતિબંધ મૂકવામાં આવે છે.
IV. જ્યારે પણ આવી વિનંતી કરવામાં આવે ત્યારે કોર્ટે પરવાનગી આપવી આવશ્યક છે.
ઉપરોક્તમાંથી કયા વિધાન સાચા છે?
(A) II, III અને IV
(B) I, III અને IV
(C) I, II, III અને IV
(D) I, II અને III
સાચો જવાબ: (D) I, II and III
સમજૂતી:
I, II અને III નિવેદનો સાચા છે.
IV ખોટું છે કારણ કે અદાલત દરેક વખતે મંજૂરી આપવા માટે બંધાયેલ નથી; યોગ્ય કારણો હોવા જોઈએ.
Question 78 : ૧૮ વર્ષનો સ્વસ્થ મગજવાળો પુખ્ત વયનો A, B ના પક્ષમાં એક લેખિત દસ્તાવેજ રજૂ કરે છે જેમાં કહેવામાં આવ્યું છે કે, “હું આવતા વર્ષે ૧ એપ્રિલના રોજ B ને ₹૭૫,૦૦૦ ચૂકવવાનું વચન આપું છું.” A સંપૂર્ણપણે સક્ષમ છે, તેણે નોંધ પર સહી કરી છે, અને દસ્તાવેજમાં પ્રોમિસરી નોટના બધા આવશ્યક ઘટકો છે. A ડિફોલ્ટ કરે ત્યારે B ૧ એપ્રિલ પછી વસૂલાત માટે A પર દાવો કરે છે. યોગ્ય કાનૂની સ્થિતિ તપાસો.
(A) પ્રોમિસરી નોટ રદબાતલ છે કારણ કે તેમાં વિચારણાનો ઉલ્લેખ નથી.
(B) પ્રોમિસરી નોટ A ના વિકલ્પ પર રદબાતલ છે કારણ કે A ફક્ત ૧૮ વર્ષની ઉંમરનો છે.
(C) પ્રોમિસરી નોટ ફક્ત ત્યારે જ માન્ય છે જો કોઈ તૃતીય પક્ષ સાક્ષી તરીકે સહી કરે.
(D) પ્રોમિસરી નોટ માન્ય છે; A B ને ચૂકવવા માટે જવાબદાર છે.
- સાચો જવાબ: (D) પ્રોમિસરી નોટ માન્ય છે; A B ને ચૂકવવા માટે જવાબદાર છે.
સમજૂતી:
A પુખ્ત વયનો (18 વર્ષ) અને સક્ષમ વ્યક્તિ છે. પ્રોમિસરી નોટના તમામ આવશ્યક તત્ત્વો હાજર હોવાથી તે માન્ય છે અને A ચુકવણી માટે જવાબદાર છે.
Question 79 : ભારતમાં લોકપાલ પ્રકારની સંસ્થા અપનાવવાની ભલામણ સૌપ્રથમ નીચેનામાંથી કયા દ્વારા કરવામાં આવી હતી?
(A) સંથાનમ સમિતિ, 1964
(B) ભ્રષ્ટાચાર વિરુદ્ધ ભારત ચળવળ, 2011
(C) વહીવટી સુધારા આયોગ, 2005
(D) વહીવટી સુધારા આયોગ, 1966
- સાચો જવાબ: (D) વહીવટી સુધારા આયોગ, 1966
સમજૂતી:
ભારતમાં લોકપાલ જેવી સંસ્થાની ભલામણ પ્રથમ વખત પ્રથમ Administrative Reforms Commission (1966) દ્વારા કરવામાં આવી હતી.
Question 80 : ભારતના બંધારણીય માળખા હેઠળ, સુપ્રીમ કોર્ટે ધીમે ધીમે લોકસ સ્ટેન્ડીના પરંપરાગત નિયમને હળવો કર્યો, જેનાથી જાહેર ભાવના ધરાવતા વ્યક્તિઓને અન્ય લોકોના મૂળભૂત અધિકારોના અમલ માટે કોર્ટનો સંપર્ક કરવાની મંજૂરી મળી. આ વિકાસ સૌથી નજીકથી સંકળાયેલ છે:
(A) વહીવટી કાર્યવાહીની ન્યાયિક સમીક્ષા.
(B) કલમ
(C) હેઠળ રિટ અધિકારક્ષેત્રનું વિસ્તરણ
(D) ફક્ત વ્યક્તિગત અરજીઓ દ્વારા મૂળભૂત અધિકારોનો અમલ.
- સાચો જવાબ: (C) હેઠળ રિટ અધિકારક્ષેત્રનું વિસ્તરણ
સમજૂતી:
લોકહિત અરજી (PIL) ના વિકાસને કારણે locus standi ના કડક નિયમોમાં છૂટછાટ આપવામાં આવી.
Question 81 : માહિતી ટેકનોલોજી અધિનિયમ, 2000 હેઠળ, ‘ઇલેક્ટ્રોનિક રેકોર્ડ’ શબ્દમાં કયાનો સમાવેશ થાય છે: I.
I. ડિજિટલ સ્વરૂપમાં સંગ્રહિત ડેટા
II. છબી અથવા ધ્વનિ ઇલેક્ટ્રોનિક રીતે સંગ્રહિત અથવા પ્રસારિત થાય છે
III. માઇક્રોફિલ્મ અથવા કમ્પ્યુટર-જનરેટેડ માઇક્રોફિચમાં જનરેટ કરેલી માહિતી
IV. ઇલેક્ટ્રોનિક પ્રક્રિયા વિના ફક્ત કાગળ પર રેકોર્ડ કરેલી માહિતી.
ઉપરોક્તમાંથી કઈ સાચી છે?
(A) I અને II
(B) II, III અને IV
(C) I, II અને III
(D) I, II, III અને IV
- સાચો જવાબ: (C) I, II and III
સમજૂતી:
ડિજિટલ ડેટા, ઇલેક્ટ્રોનિક રીતે સંગ્રહિત/પ્રસારિત છબી અથવા અવાજ અને માઇક્રોફિલ્મ/કમ્પ્યુટર જનરેટેડ માઇક્રોફિચેમાં રહેલી માહિતી electronic record માં આવે છે.
માત્ર કાગળ પર લખાયેલી માહિતી electronic record નથી.
Question 82 : કરદાતા પોતાના અને પોતાના પરિવાર માટે તબીબી વીમા પ્રીમિયમ ચૂકવે છે અને કુલ આવકની ગણતરી કરતી વખતે કપાતનો દાવો કરે છે. આવકવેરા અધિનિયમ, 1961 હેઠળ યોગ્ય સ્થિતિ શું છે?
(A) નિર્ધારિત મર્યાદા અને શરતોને આધીન કપાત માન્ય છે
(B) કોઈપણ નાણાકીય મર્યાદા વિના કપાત માન્ય છે
(C) આવા કિસ્સાઓમાં કપાત માન્ય નથી
(D) કપાત ફક્ત વરિષ્ઠ નાગરિકો માટે જ માન્ય છે.
- સાચો જવાબ: (A) નિર્ધારિત મર્યાદા અને શરતોને આધીન કપાત માન્ય છે
સમજૂતી:
Income Tax Act ની Section 80D હેઠળ તબીબી વીમા પ્રીમિયમ માટે નિર્ધારિત મર્યાદા અને શરતોને આધીન કપાત (deduction) મળે છે.
Question 83 : ભારતીય ન્યાય સંહિતા (BNS), 2023 હેઠળ, ‘મિલકત જપ્ત કરવી’ ને સજા તરીકે સૂચિબદ્ધ કરવામાં આવી છે. કયા ચોક્કસ કિસ્સામાં આ સૌથી વધુ લાગુ પડે છે?
(A) સંગઠિત અપરાધ (કલમ 111)
(B) સામાન્ય ઈજા અથવા નાની શારીરિક ઈજાને લગતા ગુનાઓ
(C) બેદરકારીપૂર્વક અથવા બેદરકારીપૂર્વક વાહન ચલાવવાના કિસ્સાઓ
(D) નાની કે ક્ષુલ્લક ચોરીના કિસ્સાઓ.
- સાચો જવાબ: (A) સંગઠિત અપરાધ (કલમ 111)
સમજૂતી:
સંગઠિત ગુનાખોરી (Organized Crime) સંબંધિત ગુનાઓમાં સંપત્તિ જપ્ત (forfeiture) કરવાની સજા લાગુ પડી શકે છે.
Question 84: ૧૯૭૩ ના ફોજદારી કાર્યવાહી સંહિતા (CrPC) ની કઈ જોગવાઈ મુજબ પોલીસ અધિકારીએ વોરંટ વિના ધરપકડ કરાયેલ વ્યક્તિને મહત્તમ ૨૪ કલાકની અંદર મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવી જોઈએ?
(A) કલમ ૫૭
(B) કલમ ૫૧
(C) કલમ ૧૬૪
(D) કલમ ૪૧
- સાચો જવાબ: (A) કલમ ૫૭ CrPC
સમજૂતી:
કલમ 57 CrPC મુજબ વોરંટ વગર ધરપકડ કરાયેલ વ્યક્તિને 24 કલાકની અંદર મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવી ફરજિયાત છે.
Question 85 : ભારતીય સાક્ષ્ય અધિનિયમ, 2023 મુજબ નીચેનામાંથી કયો દસ્તાવેજ નથી?
(A) ખાનગી કાગળો
(B) કેરિકેચર
(C) શિલાલેખ
(D) નકશો
- સાચો જવાબ: (B) કેરિકેચર
સમજૂતી:
ખાનગી કાગળો (Private Papers), શિલાલેખ (Inscription) અને નકશો (Map) દસ્તાવેજ (Document) તરીકે ગણાય છે.
Caricature દસ્તાવેજની વ્યાખ્યામાં આવતું નથી. Caricature એટલે વ્યંગ ચિત્ર – કાર્ટૂન.
Question 86 : આવકવેરા અધિનિયમ, ૧૯૬૧ ની કલમ ૧૦(૩૭) મુજબ, વ્યક્તિ દ્વારા ખેતીની જમીનના ફરજિયાત સંપાદન પર વળતર મેળવવામાં આવે છે જેનો ઉપયોગ સંપાદન પહેલાં તેણે કૃષિ હેતુ માટે કર્યો હતો. સાચી કાનૂની સ્થિતિ શું છે?
(A) તે વ્યવસાયિક આવક તરીકે કરપાત્ર છે.
(B) તે ફક્ત ત્યારે જ કરપાત્ર છે જો તે નિર્ધારિત મર્યાદા કરતાં વધુ હોય.
(C) તે કાયદા હેઠળ હંમેશા કરપાત્ર છે.
(D) તે મુક્ત છે, નિર્ધારિત શરતોની પરિપૂર્ણતાને આધીન.
સાચો જવાબ: (D) It is exempt, subject to fulfilment of prescribed conditions.
સમજૂતી:
ખેતીની જમીનના ફરજિયાત અધિગ્રહણ બદલ મળતું વળતર Section 10(37) હેઠળ નિર્ધારિત શરતો પૂરી થતી હોય તો કરમુક્ત (Exempt) છે.
Question 87 : સિવિલ પ્રોસિજર કોડ, ૧૯૦૮ હેઠળ, જ્યાં એવી વ્યક્તિ સામે દાવો દાખલ કરવામાં આવે છે જેને પાછળથી ખોટી રીતે પ્રતિવાદી તરીકે દોષિત ઠેરવવામાં આવ્યો હોવાનું જણાય છે, ત્યાં કોર્ટ આ કરી શકે છે:
(A) વાદીને નવો દાવો દાખલ કરવાનો નિર્દેશ આપો.
(B) દાવો જાળવી શકાય તેમ ન હોવાથી તેને રદ કરો.
(C) યોગ્ય પ્રતિવાદીને બદલવા અથવા ઉમેરવાની પરવાનગી આપો.
(D) પક્ષકારોની ખોટી જોડણીના આધારે ફરિયાદ પરત કરો.
- સાચો જવાબ: (C) યોગ્ય પ્રતિવાદીને બદલવા અથવા ઉમેરવાની પરવાનગી આપો.
સમજૂતી:
Order I Rule 10 CPC મુજબ અદાલત યોગ્ય પક્ષકારને ઉમેરવા અથવા ખોટા પક્ષકારને બદલી શકે છે.
Question 88 : ભારતના બંધારણમાં કાયદાકીય સત્તાઓના વિતરણની યોજના હેઠળ, જે વિષય રાજ્ય યાદી અથવા સમવર્તી યાદીમાં સામેલ નથી તે કાયદાના શેષ ક્ષેત્રમાં આવે છે. આવી શેષ સત્તા આમાં નિહિત છે:
(A) રાજ્ય વિધાનસભાઓ
(B) ભારતના રાષ્ટ્રપતિ
(C) સંસદ
(D) ભારતની સર્વોચ્ચ અદાલત
- સાચો જવાબ: (C) The Parliament – સંસદ
સમજૂતી:
બંધારણની કલમ 248 અને Union List Entry 97 મુજબ અવશેષ (Residuary) કાયદા બનાવવાની સત્તા સંસદને છે.
Question 89 : નીચેના વિધાન વાંચો અને સાચો વિકલ્પ પસંદ કરો
નિવેદન I: ઓસિફિકેશન ટેસ્ટ એ કિશોરની ઉંમરનો અંદાજ કાઢવા માટે હાડકાના મિશ્રણનું વિશ્લેષણ કરવા માટેની અંતિમ કસોટી છે.
નિવેદન II: કિશોર નક્કી કરવા માટે જન્મ પ્રમાણપત્ર જેવા કાનૂની દસ્તાવેજોને પ્રાથમિકતા આપવામાં આવશે.
ભારતીય પુરાવા અધિનિયમ, 1872 હેઠળ ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે?
(A) બંને વિધાન I અને II ખોટા છે
(B) બંને વિધાન I અને II સાચા છે
(C) ફક્ત વિધાન I સાચું છે
(D) ફક્ત વિધાન II સાચું છે.
- સાચો જવાબ: (D) ફક્ત વિધાન II સાચું છે.
સમજૂતી:
જન્મ પ્રમાણપત્ર, શાળા રેકોર્ડ વગેરેને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવે છે. Ossification Test અંતિમ નહીં પરંતુ સહાયક પુરાવા તરીકે વપરાય છે.
Question 90 : ૧૯૯૬ના મધ્યસ્થી અને સમાધાન અધિનિયમની કલમ ૨૫(બી) મુજબ, જ્યાં પ્રતિવાદી પૂરતા કારણ વગર પોતાનો બચાવ નિવેદન રજૂ કરવામાં નિષ્ફળ જાય છે, ત્યાં મધ્યસ્થી ટ્રિબ્યુનલ:
(એ) આવી નિષ્ફળતાને સ્વીકાર તરીકે ગણ્યા વિના કાર્યવાહી ચાલુ રાખશે.
(બી) દાવેદારના આરોપોને સ્વીકાર્યા મુજબ ગણશે.
(સી) દાવેદારના કેસને વિવાદાસ્પદ ન ગણીને વિવાદનો નિર્ણય લેવા આગળ વધશે.
(ડી) કાર્યવાહી સમાપ્ત કરશે.
- સાચો જવાબ: (A)
સમજૂતી:
પ્રતિવાદી બચાવનું નિવેદન દાખલ ન કરે તો ટ્રિબ્યુનલ કાર્યવાહી ચાલુ રાખશે, પરંતુ તેને દાવાની કબૂલાત માનશે નહીં.
Question 91 : પારસી લગ્ન અને છૂટાછેડા અધિનિયમ, ૧૯૩૬ હેઠળ, કેટલા સમયગાળા માટે ભરણપોષણ આપી શકાય છે?
(A) ફક્ત મહત્તમ પાંચ વર્ષ માટે
(B) દસ વર્ષથી વધુ ન હોય તેવા નિશ્ચિત સમયગાળા માટે
(C) ફક્ત રજિસ્ટ્રાર દ્વારા નક્કી કરાયેલ સમયગાળા માટે
(D) વાદીના આયુષ્ય કરતાં વધુ ન હોય તેવા સમયગાળા માટે
- સાચો જવાબ: (D) વાદીના આયુષ્ય કરતાં વધુ ન હોય તેવા સમયગાળા માટે
સમજૂતી:
અદાલત જીવનકાળ સુધી અથવા જીવનકાળ કરતાં ઓછી અવધિ માટે ભરણપોષણનો આદેશ આપી શકે છે.
Question 92 : ભારતીય શકય અધિનિયમ, 2023 ની કલમ 2 હેઠળ નીચેનામાંથી કયું અનુમાનના માળખા હેઠળ આવતું નથી?
(A) નિર્ણાયક પુરાવો
(B) હોઈ શકે છે
(C) ધારી લેશે
(D) અવિશ્વસનીય પુરાવો
સાચો જવાબ: (D) Unassailable proof – અવિશ્વસનીય પુરાવો
સમજૂતી:
ધારણાના પ્રકારો છે:
• May Presume
• Shall Presume
• Conclusive Proof
“Unassailable Proof” કાયદાકીય શબ્દ નથી.
Question 93 : સિવિલ પ્રોસિજર કોડ, ૧૯૦૮ મુજબ, જ્યાં કાનૂની પ્રતિનિધિઓને નિર્ધારિત સમયમર્યાદામાં રેકોર્ડ પર લાવવામાં નિષ્ફળતાને કારણે દાવો રદ કરવામાં આવ્યો હોય, તો કોર્ટ આવા ઘટાડાને રદ કરી શકે છે જો ફરિયાદ દર્શાવે છે:
(A) પ્રતિવાદીને મૃત્યુની જાણકારી હતી.
(B) રેકોર્ડના ચહેરા પર સ્પષ્ટ ભૂલ.
(C) સમયમર્યાદામાં અરજી ન કરવા માટે પૂરતું કારણ.
(D) તે હુકમનામું હજુ સુધી પસાર થયું નથી.
સાચો જવાબ: (C) સમયમર્યાદામાં અરજી ન કરવા માટે પૂરતું કારણ.
સમજૂતી:
Order XXII CPC મુજબ સમયસર અરજી ન કરી શકવાના પૂરતા કારણ (Sufficient Cause) દર્શાવવાથી Abatement રદ થઈ શકે છે.
Question 94 : ફરજિયાત PUC પ્રમાણપત્ર કઈ કલમ અને નિયમ હેઠળ આપવામાં આવે છે?
(A) મોટર વાહન અધિનિયમ, 1988 ની કલમ 177(3) અને કેન્દ્ર મોટર વાહન નિયમો, 1989 ના નિયમો 117 અને 118
(B) મોટર વાહન અધિનિયમ, 1988 ની કલમ 160(1) અને કેન્દ્ર મોટર વાહન નિયમો, 1989 ના નિયમો 109 અને 110
(C) મોટર વાહન અધિનિયમ, 1988 ની કલમ 120(3) અને કેન્દ્ર મોટર વાહન નિયમો, 1989 ના નિયમો 122 અને 123
(D) મોટર વાહન અધિનિયમ, 1988 ની કલમ 190(2) અને કેન્દ્ર મોટર વાહન નિયમો, 1989 ના નિયમો 115 અને 116
- સાચો જવાબ: (A) મોટર વાહન અધિનિયમ, 1988 ની કલમ 177(3) અને કેન્દ્ર મોટર વાહન નિયમો, 1989 ના નિયમો 117 અને 118
સમજૂતી:
PUC (Pollution Under Control) માટે Motor Vehicles Act, 1988 ની Section 177(3) તથા Central Motor Vehicles Rules, 1989 ના Rules 117 અને 118 લાગુ પડે છે.
Question 95 : ભારતના બંધારણના અનુચ્છેદ ૧૪૩ હેઠળ, રાષ્ટ્રપતિ કાયદાના પ્રશ્નો અથવા જાહેર મહત્વના તથ્યો પર સુપ્રીમ કોર્ટનો અભિપ્રાય માંગી શકે છે. આવા સંદર્ભમાં કોર્ટ દ્વારા આપવામાં આવેલ અભિપ્રાય સામાન્ય રીતે આ રીતે ગણવામાં આવે છે:
(A) તિરસ્કાર અધિકારક્ષેત્ર દ્વારા લાગુ કરી શકાય છે
(B) કોર્ટના હુકમનામું સમકક્ષ
(C) અનુચ્છેદ ૧૪૧ હેઠળ બંધનકર્તા પૂર્વવર્તી
(D) પ્રકૃતિમાં સલાહકારી અને કડક રીતે બંધનકર્તા નથી
- Article 143 – Presidential Reference
સાચો જવાબ: (D) પ્રકૃતિમાં સલાહકારી અને કડક રીતે બંધનકર્તા નથી
સમજૂતી:
Article 143 હેઠળ સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલ અભિપ્રાય સલાહકાર (Advisory) હોય છે. તે સામાન્ય રીતે બંધનકારક ચુકાદો (Binding Judgment) નથી.
Question 96 : ‘ઓનસ પ્રોબન્ડી’ નો અર્થ શું છે?
(A) તે દાવાને સમર્થન આપવા માટે રજૂ કરાયેલા વાસ્તવિક પુરાવા, દસ્તાવેજો અથવા સાક્ષીઓ.
(B) ફોજદારી કેસમાં ફરિયાદ પક્ષે વાજબી શંકાની બહાર સાબિત કરવું જોઈએ, માત્ર ફોજદારી કૃત્ય જ નહીં, પરંતુ ફોજદારી કાયદામાં ઉલ્લેખિત દોષિત મન (પુરુષો) ના ચોક્કસ સ્તરને પણ.
(C) પુરાવાનો બોજ જે પુરાવા સાથે તેને સાબિત કરવા માટે હકારાત્મક દાવો કરનાર પક્ષ પર જવાબદારી મૂકે છે.
(D) “સાબિત કરવાની હકીકત” અથવા “અંતિમ હકીકત” જે કાનૂની કેસમાં સ્થાપિત કરવાની જરૂર છે, જેમ કે ગુનાના મુખ્ય તત્વો અથવા કાર્યવાહીનું કારણ.
સાચો જવાબ: (C) Burden of proof – પુરાવાનો બોજ જે પુરાવા સાથે તેને સાબિત કરવા માટે હકારાત્મક દાવો કરનાર પક્ષ પર જવાબદારી મૂકે છે.
સમજૂતી:
Onus Probandi નો અર્થ “પુરાવાનો બોજ” થાય છે. જે પક્ષ કોઈ હકીકતનો દાવો કરે છે તેના પર તે હકીકત સાબિત કરવાની જવાબદારી રહે છે.
Question 97 : દિશાનિર્દેશો: નીચેના પ્રશ્નમાં બે વિધાનોનો સમાવેશ થાય છે, એકને વિધાન (A) અને બીજાને કારણ (R) તરીકે લેબલ કરવામાં આવ્યું છે. તમારે આ બે વિધાનોની કાળજીપૂર્વક તપાસ કરવી પડશે અને નક્કી કરવું પડશે કે શું વિધાન (A)
અને કારણ (R) વ્યક્તિગત રીતે સાચા છે અને જો એમ હોય, તો કારણ (R)
વિધાન (A) ની સાચી સમજૂતી છે કે નહીં.
વિધાન (A): ગોપનીયતાના અધિકારને ભારતના બંધારણના કલમ 21 ના અભિન્ન ભાગ તરીકે ન્યાયિક રીતે માન્યતા આપવામાં આવી છે.
કારણ (R): ગોપનીયતાને ભારતના બંધારણના ભાગ III માં સ્પષ્ટપણે એક અલગ મૂળભૂત અધિકાર તરીકે ગણવામાં આવી છે.
ભારતના બંધારણ અને ન્યાયાધીશ કે.એસ. પુટ્ટાસ્વામી (નિવૃત્ત) વિરુદ્ધ ભારત સંઘ (2017) 10 SCC 1 માં નિર્ણયના સંદર્ભમાં, નીચેનામાંથી કયું સાચું છે?
(A) (A) ખોટું છે, પરંતુ (R) સાચું છે.
(B) (A) સાચું છે, પરંતુ (R) ખોટું છે.
(C) બંને (A) અને (R) સાચા છે, અને (R) એ (A) ની સાચી સમજૂતી છે.
(D) બંને (A) અને (R) સાચા છે, પરંતુ (R) સાચી સમજૂતી નથી.
સાચો જવાબ: (B) (A) is true, but (R) is false.
સમજૂતી:
Justice K.S. Puttaswamy v. Union of India (2017) કેસમાં ગોપનીયતાનો અધિકાર Article 21 હેઠળ મૂળભૂત અધિકાર તરીકે માન્ય કરાયો હતો. પરંતુ તે Part III માં અલગ Fundamental Right તરીકે સ્પષ્ટ લખાયેલો નથી.
Question 98 : રોમન ન્યાયશાસ્ત્રમાં, કાયદાના નિયમને સમાન વિભાવનાને નીચે આપેલ તરીકે ઓળખવામાં આવે છે :
(A) જસ સિવિલે
(B) જસ નેચરલે
(C) લેક્સ રેગિયા
(D) જસ જેન્ટિયમ
સાચો જવાબ: (B) Jus Naturale
સમજૂતી:
Jus Naturale (Natural Law) કુદરતી ન્યાય અને સર્વોચ્ચ કાનૂની સિદ્ધાંતો પર આધારિત હોવાથી Rule of Law ના વિચાર સાથે સૌથી વધુ સુસંગત ગણાય છે.
Question 99 : નીચેનામાંથી કયું વિધાન “કુલ નિયમ” શબ્દનું ઉદાહરણ નથી, જે ટોર્ટ્સના કાયદા મુજબ છે?
(A) એક છોકરાએ વર્ગખંડમાં બીજા છોકરાને લાત મારી. એવું બહાર આવ્યું કે પીડિતને અજ્ઞાત માઇક્રોબાયલ સ્થિતિથી થયેલી ઇજા જે છે, અને પરિણામે તે સંપૂર્ણપણે પગનો ઉપયોગ ગુમાવે છે.
(B) નર્વસ શોકના કિસ્સાઓ પણ આ સિદ્ધાંત સાથે સુસંગત છે. નિયમ એ છે કે જો નર્વસ દાવેદારની સ્થિતિમાં સ્થિત સામાન્ય રીતે મજબૂત નર્વસ વ્યક્તિ માટે આંચકો વાજબી રીતે આગાહી કરી શકાય છે, તો પ્રતિવાદી આઘાતની સંપૂર્ણ હદ માટે જવાબદાર છે.
(C)’A’ એ પેટમાં દુખાવો અનુભવ્યો. પાછળથી જાણવા મળ્યું કે તેના પેટમાં સોય રહી ગઈ હતી. હોસ્પિટલમાં એપેન્ડેક્ટોમી કરાવી. શસ્ત્રક્રિયા યોજના મુજબ ચાલી રહી હોવા છતાં, તેણીને લાંબા સમય સુધી પીડા રહી.
(D) એક માણસને હૃદયરોગનો હુમલો આવ્યો અને પાછળના ભાગમાં કાર અકસ્માત દરમિયાન છાતીમાં ઉઝરડા પડ્યા બાદ તેનું મૃત્યુ થયું.
સાચો જવાબ: (C)
સમજૂતી:
Eggshell Skull Rule મુજબ પ્રતિવાદી પીડિતની વિશેષ નબળાઈ માટે પણ જવાબદાર બને છે. વિકલ્પ (C) મેડિકલ નેગ્લિજન્સનું ઉદાહરણ છે, Eggshell Skull Rule નું નહીં.
Question 100 : ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS), 2023ની સેક્શન 173 હેઠળ, જો પોલીસ અધિકારી ઇન-ચાર્જ નક્કી કરે કે કેસ
પૂરતો ગંભીર ન હોવાથી તપાસ આવશ્યક નથી, તો તેઓ કાયદેસર રીતે આ નિર્ણયની માહિતી આપનારને નીચે જણાવેલ
સમયની અંદર સૂચિત કરવા માટે બંધાયેલા છે:
(A) 24 SE1s
(B)7 દિવસ
(C) 14 દિવસ
(D) 30 દિવસ
સાચો જવાબ: (B) 7 days
સમજૂતી:
જો પોલીસ અધિકારી માને કે કેસમાં તપાસ જરૂરી નથી અથવા પૂરતી ગંભીરતા નથી, તો તે નિર્ણયની જાણ ફરિયાદીને 7 દિવસની અંદર કરવી જરૂરી છે.
નિષ્કર્ષ :
બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (BCI) દ્વારા 7 June, 2026 ના રોજ દેશભરના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર ઓલ ઈન્ડિયા બાર પરીક્ષા (AIBE 21) 2026 સફળતાપૂર્વક યોજાઈ હતી. પરીક્ષા પૂરી થતાંની સાથે જ, બધા ઉમેદવારો વિચારતા હશે કે તેઓ પાસ થઈ શકશે કે નહીં, તેથી અહીં અમે AIBE 21 (AIBE XXI) પ્રશ્નપત્ર ઉકેલ 2026 નું પેપર સોલ્યુશન પ્રદાન કરી રહ્યા છીએ. AIBE 21 પ્રશ્નપત્ર 2026 ઉકેલો સાથે : AIBE 20 Question Paper 2026 with Answer Key and Detailed Solutions
aibe 21 paper solution, aibe exam preparation 2026 in Gujarati, aibe 21 question paper solution, aibe paper solution, aibe paper solution 2026, aibe exam last year solve question paper, aibe 21 question paper solution, aibe 21 exam hindu law, hindu law important questions aibe 21 exam, aibe exam previous year question paper, aibe 21 exam hindu law most important question, aibe 21 question paper, aibe 21 paper, aibe 21 exam preparation, aibe 21 law exam preparation, aibe pyq in Gujarati, aibe 21 exam pattern
aibe paper solution 2026, aibe 21 paper solution, aibe 21 question paper solution, aibe exam preparation 2026 in hindi, aibe paper solution, aibe 21 constitutional law in hindi, aibe 21 preparation 2026, aibe 21 paper, aibe 21 question paper, aibe 212026 preparation, aibe 21 exam question paper, aibe 21 exam preparation 2026, aibe 21 notification 2026, aibe 21 2026 notification, aibe 21 registration 2026, aibe 21 question paper analysis, aibe 21 paper pattern, aibe 21 notifications 2026, aibe 21 paper analysis
| aibe paper solution 2026 – 7 June 2026 |
| aibe 21 paper solution |
| aibe 21 question paper solution |
| aibe exam preparation 2026 in hindi – 7 June 2026 |
| aibe 21 constitutional law in hindi |
| aibe 21 paper analysis |
| aibe 21 question paper solution |
| aibe 21 question paper analysis |
| aibe paper solution 2026 |
| AIBE 21 QUESTION PAPER 2026- 7 June 2026 |
BCI ने बताया की ऐन्सर की बहुत जल्द ही प्रसिद्ध की जाएगी , इसके लिए बी सीआई की आधिकारिक वेबसाइट देखते रहना चाहिए
बी सी आई के मुताबिक फाइनल ऐन्सर की प्रसिद्ध होने के बाद ही रिजल्ट निकलेगा । उस से पहले आप को कोई समस्या हो तो उस के लिए समय दिया जाएगा
आधिकारिक ऐन्सर की केवल बी सी आई की वेबसाइट से ही डाउनलोड की जा सकती है ।
You may also like this : क्यों बार बार दिखता है नंबर 555 ?
