ડોમેસ્ટિક વાયોલન્સ ની ફરિયાદ પતિ પણ કરી શકે છે – દિલ્હી હાઇ કોર્ટ
ડોમેસ્ટિક વાયોલન્સ ની ફરિયાદ પતિ પણ કરી શકે છે – દિલ્હી હાઇ કોર્ટ
આ ચુકાદો બતાવે છે કે કોર્ટ માટે ક્રૂરતા માત્ર શારીરિક હિંસા નથી. સતત અપમાન, બદનામી, ખોટા આરોપો અને માનસિક ત્રાસ પણ એટલી જ ગંભીર ક્રૂરતા છે.
Chandhok Lajwanti vs Chandhok O N, 34 years of marriage ended with domestic violence suit by husband against his wife Chandhok Lajwanti.
આ લેખ એક લાંબા સમય સુધી ચાલેલા વૈવાહિક સંબંધ, તેમાં ઉપજેલા ગંભીર મતભેદો અને અંતે કોર્ટ દ્વારા લેવાયેલા કઠિન પરંતુ અનિવાર્ય નિર્ણય વિશે છે. આ કેસ માત્ર પતિ-પત્ની વચ્ચેના વિવાદ સુધી સીમિત નથી, પરંતુ “ક્રૂરતા” શું છે, તે કેવી રીતે સમજવી અને કોર્ટ કયા માપદંડથી તેને પરખે છે, તે સમજવા માટે પણ મહત્વપૂર્ણ છે.
ચંડોક દંપતિનું લગ્ન 27 ફેબ્રુઆરી 1944ના રોજ પાકિસ્તાન ના પેશાવરમાં થયું હતું. સમયની સાથે તેઓ ભારતના વિભાજન પછી ભારત આવી ને દિલ્હી માં સ્થાયી થયા. આ લાંબા લગ્નજીવન દરમિયાન તેમને એક દીકરી અને ત્રણ પુત્રો થયા. લગભગ 34 વર્ષ સુધી લગ્નજીવન ચાલ્યા પછી પતિ ઓ.એન. ચંડોકે 31 મે 1977ના રોજ છૂટાછેડાની અરજી કરી. આ અરજીનો આધાર હતો પત્ની તરફથી થતી ક્રૂરતા અને ત્યાગ. બીજી તરફ, પત્ની લજવંતી ચંડોકે જવાબમાં પતિ સામે પ્રતિ-ક્રૂરતાના આક્ષેપો કર્યા અને એવો પણ આરોપ મૂક્યો કે પતિના બીજી સ્ત્રી સાથે અવૈધ સંબંધો છે. ટ્રાયલ કોર્ટમાં વધારાના જિલ્લા ન્યાયાધીશે પુરાવાઓના આધારે પત્ની તરફથી ક્રૂરતા સાબિત થયેલી માનતા લગ્ન વિઘટિત કર્યા. આ નિર્ણય સામે પત્નીએ અપીલ કરી અને પતિએ પણ ક્રોસ-ઓબ્જેક્શન દાખલ કર્યું કે ત્યાગનો મુદ્દો સાબિત થયો નથી એવું કહેવું ખોટું છે.
અપીલની સુનાવણી દરમિયાન ન્યાયાધીશે બંને પક્ષોની દલીલો સાંભળી. સમાધાન અને સમજૂતીના પ્રયાસો પણ કરવામાં આવ્યા, પરંતુ તે નિષ્ફળ રહ્યા. આ તબક્કે કોર્ટ સામે માત્ર કાનૂની પ્રશ્ન નહોતો, પરંતુ એક 34 વર્ષ જૂના લગ્નજીવનને તોડવાનો માનવીય અને ભાવનાત્મક પ્રશ્ન પણ હતો.
ડોમેસ્ટિક વાયોલન્સ ની ફરિયાદ પતિ પણ કરી શકે છે – દિલ્હી હાઇ કોર્ટ
પતિનો મુખ્ય આક્ષેપ એ હતો કે લગ્નના શરૂઆતના દિવસોથી જ પત્નીનું વર્તન અતિશય આક્રમક અને અપમાનજનક હતું. તે વારંવાર કારણ વિના ગુસ્સે થતી, ગાળો આપતી, અપમાન કરતી અને શારીરિક રીતે પણ હિંસા કરતી. પતિએ જણાવ્યું કે પત્ની ચપ્પલ, જૂતા, ગ્લાસ અને બોટલ ફેંકતી હતી અને તેને અવારનવાર માર મારતી. તેના પર અનૈતિકતાના ખોટા આરોપો લગાવતી. 1975માં મોટો પુત્ર કેનેડા ગયો પછી પત્નીએ પતિ સાથે રહેવાનો ઇનકાર કર્યો. તેણીને ગ્રાઉન્ડ ફ્લોરમાં અલગ રહેવાની વ્યવસ્થા કરી આપવામાં આવી અને આખું કુટુંબ ઉપરના માળે ખસ્યું, છતાં પણ પત્નીનું વર્તન સુધર્યું નહીં, ઉલટું વધુ તીવ્ર બનતું ગયું.
Read more: ડોમેસ્ટિક વાયોલન્સ ની ફરિયાદ પતિ પણ કરી શકે છે – દિલ્હી હાઇ કોર્ટપતિએ જણાવ્યું કે 26 જાન્યુઆરી 1976 અને 18 મે 1976ના રોજ પત્નીએ તેને પોતાને ઇજા પહોંચાડી. મે 1976થી તેણીએ પતિની બદનામી કરવા માટે તેના નોકરીદાતા, મિત્રો, સગા-સંબંધીઓ અને ઉચ્ચ અધિકારીઓને, અહીં સુધી કે વડાપ્રધાનને પણ, સહીવાળા અને અનામિક પત્રો લખવા શરૂ કર્યા. આ પત્રોમાં પતિના ચરિત્ર પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. આ કારણે પતિએ પરિવાર સાથે જૂન 1976માં ગ્રેટર કૈલાશમાં ઘર બદલી દીધું. છતાં 15 માર્ચ 1977ના રોજ પત્નીએ પતિની કાર પર પથ્થરમારો કર્યો. પતિએ કોર્ટમાં કહ્યું કે તે બ્લડ પ્રેશર અને હૃદયરોગથી પીડાય છે અને આ પરિસ્થિતિમાં છૂટાછેડા તેના જીવનના અસ્તિત્વ માટે જરૂરી છે.
બીજી તરફ, પત્નીએ પોતાના જવાબમાં કહ્યું કે 1960 સુધી બંને વચ્ચે સંબંધો સારાં હતા. ત્યારબાદ પતિ દારૂ પીવા લાગ્યો અને અન્ય સ્ત્રીઓ સાથે સંબંધ બાંધવા લાગ્યો. બે યુવતીઓ સાથે પતિના સંબંધો હોવાના કારણે તે દુખી અને ઉગ્ર બની. તેણીએ કહ્યું કે તે આજેય પતિ સાથે રહેવા તૈયાર છે, પરંતુ તે જ ઘરમાં જ્યાં તે હાલ રહે છે. તેણીએ પતિની અરજીને મોડેથી કરેલી અને ખોટી નિયતથી કરેલી ગણાવી, જેથી પતિને અન્ય સ્ત્રીઓ સાથે મુક્ત રીતે રહેવાની તક મળે.
કોર્ટએ નોંધ્યું કે 18 મે 1976 પછી પત્ની દ્વારા સતત ફરિયાદો અને પત્રો લખવાની પ્રવૃત્તિ શરૂ થઈ. વડાપ્રધાન, સંજય ગાંધી, ચરણ સિંહ, પોલીસ અધિકારીઓ, એસ.ડી.એમ. અને પતિના સંબંધીઓને લખાયેલા પત્રોમાં પતિના ચરિત્ર પર ગંભીર આરોપો હતા. પત્નીએ પતિ સામે ફોજદારી ફરિયાદો પણ નોંધાવી. ડિસ્ટિલર્સ એસોસિએશન, જ્યાં પતિ સેક્રેટરી તરીકે કામ કરતો હતો, ત્યાં પણ ફરિયાદ મોકલવામાં આવી. પથ્થરમારો અને શારીરિક હિંસાની ઘટનાઓ પણ નોંધાઈ.
પત્નીએ સ્વીકાર્યું કે પતિએ તેને સગવડમાં રાખી હતી અને વિદેશ પ્રવાસ માટે પણ ખર્ચ કર્યો હતો. તેમ છતાં તેણે આ વાત માની કે 1976થી પતિ તેની સાથે રહેતો નથી. તેણે સ્વીકાર્યું કે તેણે વડાપ્રધાન અને અન્ય નેતાઓને પત્રો લખ્યા હતા. આ બધા આક્ષેપોને પતિના બે પુત્રો અને વિદેશમાં રહેલા મોટા પુત્રના પત્રોથી પણ સમર્થન મળ્યું. પત્નીના અવૈધ સંબંધોના આરોપો માટે કોઈ વિશ્વસનીય પુરાવા રજૂ થયા નહીં.
ન્યાયાધીશે કહ્યું કે ક્રૂરતા માત્ર અલગ-અલગ ઘટનાઓના આધારે નક્કી કરી શકાય નહીં. તે જીવનસાથી પર તેના કુલ પ્રભાવ પરથી જોવી પડે. ઉંમર, આરોગ્ય, સામાજિક સ્થિતિ, સંસ્કૃતિ અને સમગ્ર વૈવાહિક ઇતિહાસને ધ્યાનમાં લેવું જરૂરી છે. અહીં માત્ર શારીરિક હિંસા જ નહીં, પરંતુ સતત બદનામી, ખોટા આરોપો અને માનસિક યાતનાનો એક સિલસિલો જોવા મળે છે. પત્ની દ્વારા પતિના ચરિત્ર પર આધારવિહીન આરોપો લગાવવું અને તેને સમાજમાં અપમાનિત કરવાનો પ્રયાસ કરવો ગંભીર માનસિક ક્રૂરતા છે.
ન્યાયાધીશે કહ્યું કે જો માનીએ પણ કે પતિ અન્ય સ્ત્રીઓની સંગતમાં ગયો હોય, તો પણ તે તેને ઘરમાં ન મળતી શાંતિ અને સહાનુભૂતિ શોધવાનો પ્રયાસ માનવામાં આવે. અર્થાત કોર્ટે આડકતરી રીતે એ વાત ને સમર્થન આપ્યું કે જો ઘરમાં શાંતિ અને સન્માન ના મળે તો વ્યક્તિ બહાર સંબંધો બનાવી શકે છે કે જ્યાં તેને શાંતિ અને સન્માન મળે. મૂળ સમસ્યા પત્નીનું સતત, અડગ અને નિર્દય વલણ હતું, જે પતિની લાગણીઓ પ્રત્યે સંપૂર્ણ બેદરકાર હતું. ક્રૂરતા માત્ર કૃત્યમાં નથી, પરંતુ તેના પરિણામમાં છે. જીવનસાથીના મન પર પડતી તેની અસર મહત્વપૂર્ણ છે.
ડોમેસ્ટિક વાયોલન્સ ની ફરિયાદ પતિ પણ કરી શકે છે – દિલ્હી હાઇ કોર્ટ
કોર્ટએ અંતે કહ્યું કે પતિએ લાંબા સમય સુધી સહન કર્યું, પરંતુ સહનશક્તિની પણ એક હદ હોય છે. લગ્ન સંસ્થા પવિત્ર છે અને સમાજ માટે જરૂરી છે, પરંતુ જ્યારે તે અસહ્ય બંધન બની જાય ત્યારે બહાર નીકળવાનો રસ્તો પણ હોવો જોઈએ. અહીં લગ્નમાં નામ સિવાય કંઈ બચ્યું ન હતું. વચનો ભૂલાઈ ગયા હતા અને સંબંધનો અર્થ ખોવાઈ ગયો હતો. તેથી ટ્રાયલ કોર્ટ દ્વારા લેવામાં આવેલ નિર્ણય યોગ્ય છે.
અપીલ નામંજૂર કરવામાં આવી અને ક્રોસ-ઓબ્જેક્શન પણ ફગાવી દેવામાં આવ્યું. ન્યાયાધીશે અંતમાં નોંધ્યું કે પત્નીનું નવા વૈવાહિક ઘરમાં રહેવાનો અડગ ઇનકાર પણ ત્યાગ તરફ ઈશારો કરે છે. ખર્ચનો ભાર પતિ પર મૂકવામાં આવ્યો.
આ ચુકાદો બતાવે છે કે કોર્ટ માટે ક્રૂરતા માત્ર શારીરિક હિંસા નથી. સતત અપમાન, બદનામી, ખોટા આરોપો અને માનસિક ત્રાસ પણ એટલી જ ગંભીર ક્રૂરતા છે. 34 વરસ જેટલા લાંબા લગ્નજીવન પછી છૂટાછેડા મંજૂર કરવા એ કોર્ટ માટે પણ દુખદાયક હોય છે, પરંતુ જ્યારે સંબંધ સંપૂર્ણપણે ખોખલો બની જાય ત્યારે તેને કાયદેસર અંત આપવો એ જ ન્યાયસંગત રસ્તો રહે છે.
Chandhok Lajwanti vs Chandhok O N, 34 years of marriage ended with domestic violence suit by husband against his wife Chandhok Lajwanti.
domestic violence case, domestic violence court case, how a murder case brought domestic violence, domestic violence, how a murder case brought domestic violence to light, domestic violence tips, domestic violence defense, domestic violence charges, domestic violence california, domestic violence assault 4, domestic violence abuse cycles, domestic violence trials, domestic violence felony, domestic violence lawyer, domestic violence victim, domestic violence survival, domestic violence survivor, 498A, 498 A.
husband rights under domestic violence act, domestic violence case by husband, delhi high court domestic violence judgment, husband as aggrieved person, domestic violence act gender neutral, legal rights of husband in india, misuse of domestic violence act, men rights in matrimonial disputes, indian family law updates, domestic violence law interpretation, chandhok lajwanti vs chandhok o n, 34 years of marriage ended with domestic violence suit by husband against his wife chandhok lajwanti.

It’s very nice judgement 🙂